આજે 22 માર્ચને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
રાષ્ટ્રપતિ ભવનમાં 106 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દરેકને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. જણાવી દઈએ કે આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને સૌપ્રથમ મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની પુત્રીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હાથેથી આ સન્માન મેળવ્યું.
દિલ્હીમાં કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં કોરોનાના 84 નવા કેસ સામે આવ્યા બાદ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 292 થઈ ગઈ છે. નવા કેસ આવ્યા બાદ દિલ્હીમાં કોરોનાનો ચેપ દર વધીને 5.08% થઈ ગયો છે. રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન કોઈ દર્દીનું મોત થયું નથી.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કોરોનાના 334 નવા કેસ નોંધાયા છે. આ સાથે એક દર્દીનું મોત પણ થયું છે. તમને જણાવી દઈએ કે કોરોનાના વધતા જતા કેસોને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક બેઠક યોજી છે અને ટેસ્ટ અને માસ્ક પર ભાર આપવાનું કહ્યું છે.
લખનૌમાં આજે પણ રમઝાનનો ચાંદ જોવા મળ્યો નથી. સુન્ની માર્કજી ચાંદ કમિટીના પ્રમુખ મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહાલી તરફથી માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે દેશના કોઈપણ ભાગમાં આજે ચાંદ જોવા મળ્યો નથી. આવતીકાલે ફરી એકવાર ચંદ્ર જોવા મળશે. તેમણે કહ્યું કે શુક્રવારે દેશભરમાં પ્રથમ રોઝા થશે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 22 માર્ચના રોજ રાજ્યના કોરોના બ્લાસ્ટ થયો છે. જેમાં નવા 247 કેસ ઉમેરાતા એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર થઈ છે. તેમજ આજે એક દર્દીનું મૃત્યુ થયું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓને પદ્મ સન્માન આપી રહ્યા છે. રાષ્ટ્રપતિએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર તેમની હત્યાની શક્યતા વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે કે આજે નહીં તો કાલે મુર્તઝા ભુટ્ટોની જેમ મારી પણ હત્યા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાન અને પાકિસ્તાન સરકાર વચ્ચે ઘણા સમયથી લડાઈ ચાલી રહી છે. નવેમ્બર મહિનામાં એક રેલી દરમિયાન ઈમરાન ખાનને પણ ગોળી વાગી હતી. આ ઘટનામાં ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી હતી.
દિલ્હી-NCRમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે આંચકો હળવો હતો. બુધવારે સાંજે 4.12 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા 2.7 માપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં સતત બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. તમને જણાવી દઈએ કે મંગળવારે રાત્રે પણ દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. મંગળવારે આવેલા ભૂકંપની તીવ્રતા 6.6 હતી.
ઉમેશ પાલ હત્યા કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે માફિયા અતીક અહેમદના ડ્રાઈવર અને મુનશી સહિત પાંચને જેલમાં મોકલી દીધા છે. તમામ આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે તમામ આરોપીઓને ભારે સુરક્ષા વચ્ચે નૈનીની સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા છે.
ઇડી કેસમાં મનીષ સિસોદિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તેને 5 એપ્રિલ સુધી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને 5 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.
દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસો વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. PM નરેન્દ્ર મોદીએ આજે સાંજે 4.30 વાગ્યે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે.
વૈવાહિક બળાત્કારને બળાત્કાર ગણવાની અરજી પર સુપ્રીમ કોર્ટ 9મી મેના રોજ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ ઈન્દ્ર જય સિંહે આ મામલે વહેલી સુનાવણીની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું કે તે આ મામલે જલ્દી જ જવાબ દાખલ કરશે. આ મામલે હવે 9 મેના રોજ સુનાવણી થશે.
પંજાબ પોલીસ અમૃતપાલ સિંહના ઘરે પહોંચી ગઈ છે અને તેના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. પોલીસ અમૃતની માતા અને પત્ની કિરણ દીપની પણ પૂછપરછ કરી રહી છે. કિરણની વિદેશી ફંડિંગ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું
મહેસાણાના ખેરાલુના ગોરીસણા નજીક રીક્ષા અને ઈકો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3ના મોત નિપજ્યા છે. રિક્ષામાં બેઠેલા અન્ય કેટલાક મુસાફરોને ઈજા પહોચી છે. જેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલાયા છે. અકસ્માતમાં રિક્ષાચાલક, તેના પિતા અને માતાનું મોત નિપજ્યું છે. મૃતકો ખેરાલુ બાળાપીરના ઠાકોરવાસના રહેવાસી છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહના અંગ્રેજી ભાષાના પ્રશ્નપત્રમાં 63માં પ્રશ્રમા અરજી લખવાની હોય છે તે પુછવામાં ના આવી એ બોર્ડની ગંભીર ભૂલ હોવાનું અમદાવાદ શાળા સંચાલકો જણાવ્યું છે. પરીક્ષામાં અરજીનો પ્રશ્ન ના પુછવાને કારણે, 6 ગુણનું ગ્રેસીંગ આપવા શાળા સંચાલકોએ બોર્ડને જણાવ્યું છે. શાળા સંચાલકોએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, વિકલ્પ તરીકે એપ્લિકેશનનો પ્રશ્ન આપવામાં આવ્યો નથી, તેથી બોર્ડની ભૂલ સુધારીને વિધાર્થીઓને ન્યાય આપવો જોઈએ.
Surat News : બિહારના મુખ્ય પ્રધાનને ફોન કરીને ઉડાવી દેવાની ધમકી આપનાર સુરતમાંથી ઝડપાયો છે. ધમકી આપનાર વ્યક્તિ સુરતમાં હોવાની બાબત બિહાર પોલીસને જાણમાં આવી હતી. જેના કારણે બિહાર પોલીસે, સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદ માંગી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે ધમકી આપનાર યુવાનને લસકાણા ખાતેથી ઝડપી પાડીને બિહાર પોલીસને સોંપ્યો હતો. ઝડપાયેલ યુવાનનુ નામ અંકિત મિશ્રા હોવાનું સામે આવ્યું હતું. તે મજૂરીકામ કરતો હતો. અંકિત મિશ્રાએ ગુગલ પર નંબર સર્ચ કરીને ફોન કરીને ધમકી આપી હતી.
Vadodara news : દંતેશ્વરમાં 100 કરોડની સરકારી જમીન હડપ કરી સ્કીમ લોન્ચ કરનાર સંજય પરમાર અને તેના પરિવારજનો વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા છે. સરકારી જમીન પર વ્હાઇટ હાઉસ બંગલો બનાવી તેની બાજુમાં ડુપ્લેક્સ બનાવવાની સ્કીમ મુકી હતી. સરકારી જમીન પર બંગલાની સ્કીમ મૂકીને બે વ્યક્તિ પાસેથી પિતા- પુત્રે રૂપિયા 67.56 લાખની છેતરપિંડી કરી હતી. છેતરપિંડીનો ભોગ બનનાર રોકાણકારોએ પાણીગેટ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ છે. પાણીગેટ પોલીસે સંજયસિંહ પરમાર, કુમાર પરમાર અને શાંતાબેન રાઠોડ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.
દિલ્લી પોલીસે PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટર લગાવવાના સંબંધમાં સમગ્ર રાજધાનીમાં 100 FIR નોંધી છે. તેમજ આ કેસમાં 6 લોકોની ધરપકડ પણ કરી છે. PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટરમાં પ્રિન્ટીંગ પ્રેસની વિગતો પણ નથી. દિલ્લીના સ્પેશિયલ સીપી દીપેન્દ્ર પાઠકે ANIને જણાવ્યું હતુ કે પ્રિન્ટિંગ પ્રેસ એક્ટ અને પ્રોપર્ટી એક્ટની કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.
Banaskantha News બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવમાં મોડીરાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. તોફાની પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતો વર્ગમાં ચિતા પ્રસરી જવા પામી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ બનાસકાંઠાના વાવમાં મધ્યરાત્રીના ફરી કમોસમી વરસાદ પડ્યો હતો.
Earthquake news: અફધાનિસ્તાનમાં ગઈકાલ મંગળવારે રાત્રે આવેલા શક્તિશાળી ભૂકંપની (Earthquake) અસર ગુજરાતમાં પણ અનુભવાઈ હતી. ભૂકંપની અસર અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાના કેટલાક વિસ્તારોમાં આવેલ ઊંચી ઈમારતોમાં અનુભવાઈ હતી. બહુમાળી ઈમારતોમાં રહેતા લોકોને કંપનનો અનુભવ થયો હતો. જો કે આ ભૂકંપને કારણે જાનમાલને કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
Published On - 6:45 am, Wed, 22 March 23