
રાજસ્થાનના મુખ્યપ્રધાન ભજનલાલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. બીજી T20 મેચમાં ભારતે બીજી સુપર ઓવરમાં 11 રને જીત મેળવી છે. રામલલ્લાની મૂર્તિ રામ મંદિર પરિસરમાં પહોંચી હતી. પાકિસ્તાનમાં ઈરાનના મિસાઈલ હુમલા પર ભારતે કહ્યું કે અમે સ્વરક્ષણમાં લેવાયેલી કાર્યવાહીને સમજીએ છીએ. ED દ્વારા ઉદ્ધવ જૂથના નેતા સૂરજ ચવ્હાણની ધરપકડ કરાઈ છે. મુંબઈમાં રનવે પર મુસાફરોએ ભોજન ખાવા બદલ, ઈન્ડિગોને 1.5 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારના અપડેટ્સ અહીં વાંચો.
ગાંધીનગરમાં અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગુજરાતમાં પણ ખુશીનો માહોલ છે. રાજ્ય સરકારે અડધા દિવસની રજા જાહેર કરી તમામ સરકારી તથા અર્ધ સરકારી કચેરીઓ બપોરે 2:30 સુધી બંધ રહેશે
“તપાસ માટે 9 ટીમો બનાવાઈ છે”
“જિલ્લા કલેક્ટરને તપાસનો રિપોર્ટ 10 દિવસમાં સરકારને સોંપવા આદેશ”
“બોટ ચાલક અને મેનેજરને પકડી પૂછપરછ કરાઈ”
“બોટમાં 14ની ક્ષમતાને બદલે વધુ લોકોને બેસાડ્યા હતા”
“NDRFની 2 ટીમોના 60 જવાનોને તાત્કાલિક કામે લગાવાયા”
“IPC 304,308 અને 114 મુજબ FIR દાખલ કરી”
જવાબદારોને છોડવામાં નહીં આવે: હર્ષ સંઘવી
વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના ની ઉચ્ચ કક્ષાએ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ ને તપાસ સોંપવાનો મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલનો નિર્ણય..
વિગત વાર તપાસ અહેવાલ 10 દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરવા નો રહેશે.
વડોદરાના હરણી તળાવમાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે. વડોદરાની સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હરણી તળાવ પ્રવાસમાં આવ્યા હતા. ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. બોટમાં 16 લોકોની ક્ષમતા સામે 31 લોકોને બેસાડવામાં આવતા બોટ પલટી ગઈ હતી અને આ કરૂણાંતિકા સર્જાઈ હતી. આ ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલ વડોદરા પહોંચ્યા, બોટ દુર્ઘટના સ્થળની તેમણે મુલાકાત લીધી છે.
થોડા સમયમાં એક્ટ્રેસ રશ્મિકા મંદાનાથી લઈને કાજોલ સુધીના ઘણા સ્ટાર્સ ડીપ ફેકનો શિકાર બન્યા છે. આ સ્ટાર્સમાં સચિન તેંડુલકર પણ સામેલ હતો. હવે વધુ એક નવો મામલો સામે આવ્યો છે, જે બોલિવુડ એક્ટર સોનુ સૂદ સાથે જોડાયેલો છે. તેના ડીપ ફેક વીડિયો દ્વારા એક પરિવાર પાસેથી નાણાં પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
હરણી દુર્ઘટના મામલે અગાઉ પીએમઓ દ્વારા સહાયની જાહેરાત બાદ હવે ગુજરાત સરકારે દુર્ઘટના પર સહાયની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ ગુજરાત સરકારે મૃતકોના પરિવાર માટે 4 લાખની સહાયની જાહેરાત કરી છે તેમજ ઈજાગ્રસ્તો માટે 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
વડોદરાના હરણી તળાવ ઘટના પર પીએમઓ તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મૃતકોને 2 લાખની સહાય તેમજ ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે આ સાથે ઘટના પર પીએમઓએ ટ્વીટ કરી કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.
Distressed by the loss of lives due to a boat capsizing at the Harni lake in Vadodara. My thoughts are with the bereaved families in this hour of grief. May the injured recover soon. The local administration is providing all possible assistance to those affected.
An ex-gratia…
— PMO India (@PMOIndia) January 18, 2024
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં 25થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટનામાં 10થી વધુ વિધાર્થીઓ તેમજ 2 શિક્ષકોના મોત થયા છે. જ્યારે અન્ય વિધાર્થીઓની શોધખોળ ચાલુ છે. ત્યારે ઘટનાની ગંભીરતાને જોતા રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા જવા રવાના થયા છે
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં 25થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટનામાં 10થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય વિધાર્થીઓની શોધખોળ ચાલુ છે. બોટિંગ કરતા સમયે બોટ પલટી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા.
ત્યારે હરણી હોનારતના બેદરકારો વિરુદ્ધ સરકાર કડક પગલા લેશેનું ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
હરણીમાં સર્જાયેલ હોનારતમાં 13 લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે 27થી વધુ લોકો સવાર હતા ત્યારે આ અંગે કુબેર ડિંડોરે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે શિક્ષકો અને આચાર્ય આ સમગ્ર ઘટના બદલ જવાબદાર છે
વડોદરા હરણી તળાવમાં ડૂબી જવાથી 11 વિદ્યાર્થી સહિત 2 શિક્ષકોના મોત થયા છે. આ ઘટનાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે
વડોદરાના હરણી તળાવમાં બોટમાં પર્યટન માટે ગયેલ શાળાના બાળકો તથા શિક્ષકોના બોટ પલટવાની દુર્ઘટનામાં ડૂબી જવાના સમાચાર ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે.
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું તથા તેમના પરિવારોને સાંત્વના પાઠવું છું.…
— Harsh Sanghavi (@sanghaviharsh) January 18, 2024
વડોદરા હરણી તળાવમાં ડૂબી જવાની ઘટનામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે અગાઉ 12 લોકોના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું હતુ જે બાદ હવે આંકડો વધીને 13 થયો છે. મળતી માહિતી મુજબ બોટમાં 31 લોકો સવાર હતા . 23 બાળકો, 4 શિક્ષકો અને 4 બોટનો સ્ટાફ. હાલ ડુબેલા લોકોને બચાવવાની કાંમગીરીમાં NDRFની ટીમ લાગેલી છે.
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં 25થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટનામાં 3 વિધાર્થીઓ તેમજ 2 શિક્ષકોના મોત થયા હોવાનો ધારાસભ્ય યોગેશ પટેલનો દાવો છે. જ્યારે અન્ય વિધાર્થીઓની શોધખોળ ચાલુ છે. બોટિંગ કરતા સમયે બોટ પલટી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં 25થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટનામાં 3 વિધાર્થીઓ તેમજ 2 શિક્ષકોના મોત થયા હોવાનો ધારાસભ્ય યોગેશ પટેલનો દાવો છે. જ્યારે અન્ય વિધાર્થીઓની શોધખોળ ચાલુ છે. ત્યારે આ ઘટનાને લઈને ગુજરાતી સીએમએ દુખ વ્યક્ત કર્યું છે
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.
દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.…
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 18, 2024
વડોદરાના હરણી તળાવમાં 25થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 3 વિધાર્થી અને 2 શિક્ષકનું મોત થયું છે. જ્યારે અન્ય વિધાર્થીઓની શોધખોળ ચાલુ છે. બોટિંગ કરતા સમયે બોટ પલટી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા.
અમેરિકાએ યમનના હુતી બળવાખોરોને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યા છે. લાલ સમુદ્રમાં હુતીઓના સતત હુમલાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. નવેમ્બરથી ચાલી રહેલા આ હુમલાઓને કારણે એશિયા અને યુરોપ વચ્ચેનો દરિયાઈ વેપાર ખોરવાઈ ગયો છે. બદલો લેવા માટે, અમેરિકા અને બ્રિટને યમનમાં હુતીના સ્થાનો પર ઘણા હુમલાઓ કર્યા.
હરિયાણામાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પાર્ટીથી નારાજ હરિયાણાની આમ આદમી પાર્ટીની પ્રચાર સમિતિના અધ્યક્ષ પૂર્વ સાંસદ અશોક તંવરે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેણે પોતાનું રાજીનામું અરવિંદ કેજરીવાલને મોકલી આપ્યું છે. તંવર રાજ્યસભાની બેઠક ન મળવાથી નારાજ હતા.
અમદાવાદ એરપોર્ટના કાર્ગો કોમ્પલેક્સમાંથી ઝડપાયેલા 25 કરોડના ડ્રગ્સ કેસની તપાસમાં DRIને સૌથી મોટી સફળતા મળી છે. પાટનગર ગાંધીનગરના દહેગામમાંથી કેમિકલની આડમાં ધમધમી રહેલી ડ્રગ્સ ફેક્ટરીનો પણ પર્દાફાશ થયો છે. DRIની તપાસમાં ડ્રગ્સનું દહેગામ કનેક્શન સામે આવ્યું છે.
ધાર્મિક નગરી ઉજ્જૈનમાં 40 દિવસીય વિક્રમોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ફેસ્ટિવલમાં મોટા કલાકારો ભાગ લેશે. આ મહોત્સવમાં ફિલ્મ અભિનેત્રી હેમા માલિની શિવને કેન્દ્રમાં રાખીને નૃત્ય નાટક રજૂ કરશે. કાર્યક્રમના સમાપન સમારોહમાં બોલિવૂડ ગાયક જુબીન નૌટીયાલ ભાગ લેશે.
કેન્દ્રના કર્મચારીઓ માટે 22 જાન્યુઆરી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ મોટો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. અયોધ્યામાં રામ લલા પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024 કો સમગ્ર ભારત માં મનાવામાં આવશે.
ભારતીય નૌસેનાએ કહ્યું કે IANS વિશાખાપટ્ટનમ એડનની ખાડીમાં મિશન પર તૈનાત છે. બુધવારે રાત્રે લગભગ 11.11 વાગ્યે લૂટારાઓ દ્વારા હુમલો અને ડ્રોન દ્વારા નિશાન બનાવવાના સમાચાર મળ્યા હતા. માર્શલ આઇલેન્ડ્સ- ઝંડાવાળા આ વેપારી જહાજ એમવી જેન્કો પિકાર્ડીએ મદદ માંગી ત્યારે નૌકાદળે યોગ્ય જવાબ આપ્યો હતો. નેવીએ કહ્યું કે INS વિશાખાપટ્ટનમમાં મિસાઈલને નષ્ટ કરવાની ક્ષમતા છે.
ઉધયનિધિ સ્ટાલિન તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને યુવા બાબતોના મંત્રી છે. અગાઉ તેમણે સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. પરંતુ હવે તેમણે અયોધ્યામાં અભિષેક સમારોહ પહેલા રામ મંદિરને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સનાતન ધર્મ અંગેના તેમના નિવેદનને કારણે તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે.
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરામાં એલઓસી પર એક લેન્ડમાઈનમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં ભારતીય સેનાના ત્રણ જવાન ઘાયલ થયા છે.
માંડલમા અંધાપા કાંડને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારના આરોગ્ય વિભાગની તપાસ કમિટીએ પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે. જેમાં હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં જરૂરી નિયમોનું પાલન નહિ થયું હોવાનું સામે આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ છે. માંડલમા ટ્રસ્ટની રામાનંદ આંખની હોસ્પિટલમાં જરૂરી સ્ટાફની અછત હોવાનું પણ સૂત્રએ જણાવ્યું હતું.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે EDને જવાબ મોકલ્યો છે. સાથે જ આમ આદમી પાર્ટીએ કહ્યું કે ભાજપનો ઉદ્દેશ્ય કેજરીવાલની ધરપકડ કરવાનો છે. કેજરીવાલને લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરતા અટકાવનાનો છે. EDને લખ્યું છે કે કેજરીવાલ આરોપી નથી, તો પછી સમન્સ અને ધરપકડ શા માટે?
બિલકિસ બાનો કેસમાં ત્રણ દોષિતોની અરજી પર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ત્રણ દોષિતોએ સુપ્રીમ કોર્ટ પાસે સરેન્ડરની મુદત વધારવાની માંગ કરી છે.
ભારત જોડો ન્યાય યાત્રા ગુરુવારે આસામના શિવસાગરથી શરૂ થઈ હતી અને યાત્રાના પાંચમા દિવસે આસામમાં પ્રવેશી હતી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ 14 જાન્યુઆરીએ મણિપુરના થોબલથી પોતાની યાત્રા શરૂ કરી હતી.
ગીર સોમનાથના તાલાલા નજીક આવેલા હડમતીયા ગામે ખેડૂતના ખુલ્લા કૂવામાં એક સિંહણ ખાબકી હતી. શિકારની પાછળ દોડતી સિંહણ ખુલ્લા કૂવામાં પડતા વાડી માલિકે વન વિભાગને જાણ કરી હતી. બે કલાકના જહેમતભર્યા રેસક્યૂ બાદ વન વિભાગે સિંહણને સલામત રીતે બહાર કાઢીને સારવાર માટે સકકરબાગ ઝૂ ખાતે મોકલી આપી હતી.
સચિન તેંડુલકર ડીપફેક વીડિયો કેસમાં FIR નોંધવામાં આવી છે. મુંબઈ સાયબર પોલીસે કેસ નોંધ્યો છે. આરોપ છે કે સચિન તેંડુલકરને નકલી વીડિયોમાં એક ગેમનો પ્રચાર કરતા બતાવવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, તેની પુત્રી પણ આ ગેમ રમે છે. સચિન તેંડુલકરે ખુદ સોશિયલ મીડિયા દ્વારા તેને નકલી ગણાવી ચિંતા વ્યક્ત કરી હતી.
અમેરિકાની સેનાએ યમનમાં હુતી વિદ્રોહીઓના કબજા હેઠળના વિસ્તારો પર મિસાઇલો છોડી હતી. અમેરિકન અધિકારીઓએ આ માહિતી આપી. પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યમનના હુતી વિદ્રોહીઓ પર અમેરિકાની સેના દ્વારા આ પ્રકારનો ચોથો હુમલો છે. સાથોસાથ ઈરાને પાકિસ્તાન પર પણ હવાઈ હુમલો કરીને આતંકી સંગઠનના અડ્ડાઓને નષ્ટ કર્યા હતા. જેના જવાબરૂપે આજે પાકિસ્તાને પણ ઈરાન પર હવાઈ હુમલો કર્યો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને ઈરાન સ્થિત આતંકી સંગઠનોના અડ્ડા પર હવાઈ હુમલો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈરાને ગઈકાલે, પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનના અડ્ડાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. ઈરાનની એર સ્ટ્રાઈકમાં બે બાળકીઓના મોત થયા હતા અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
દિલ્હી શરાબ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કૌભાંડમાં EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચોથું સમન્સ પાઠવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે અરવિંદ કેજરીવાલને આજે 18 જાન્યુઆરીએ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના હેડક્વાર્ટરમાં હાજર થવા જણાવ્યું છે.
UP ATSએ બુધવારે ISISના એક આતંકીની ધરપકડ કરી છે. ઝડપાયેલો આતંકી ઘણી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. ગયા વર્ષે 3 નવેમ્બરે તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પકડાયેલા આતંકીનું નામ ફૈઝાન છે. તેની ઉંમર 24 વર્ષની છે. આ પહેલા અબ્દુલ્લા અરસલાન, માજ બિન તારિક, બજીહુદ્દીન સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
Published On - 7:11 am, Thu, 18 January 24