રાજ્યમાં કચ્છથી લઈને સૌરાષ્ટ્ર અને ઉત્તરથી લઈને મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર વર્તાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં રવિવારની સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો અને અનેક જિલ્લાઓમાં સવારથી જ વરસાદની શરૂઆત થઈ હતી. રાજ્યના 230થી વધુ તાલુકામાં કમોસમી વરસાદે કેર વરસાવ્યો છે. જેમા 45 તાલુકા એવા છે જ્યાં 1 થી 4ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનની મજબૂત સિસ્ટમને કારણે માવઠું થઈ રહ્યું છે. આજે તેમજ કાલે એમ બે દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આગાહી પ્રમાણે જ રાજ્યભરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને પછી પડ્યો ધોધમાર વરસાદ. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહીને પગલે વરસાદ વરસ્યો. જેમના ઘરે શુભ પ્રસંગો છે તેમની ચિંતામાં વધારો થયો છે અને ખેડૂતોની સ્થિતિ તો બદથી બદતર થઈ છે.. પાક ઢળી પડ્યો છે, રવિપાકને લઈને ખેડૂતોની અપેક્ષા પર પાણી ફરી વળ્યું છે.
દેશમાં ન્યૂમોનિયાના જોખમ અંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, ચીનમાં હજી સુધી કોઈ મોત નથી નોંધાયું. લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. આ બાબતે પૂરતી કાળજી લઈ રહ્યા છીએ.
જો તમે વિદેશ પ્રવાસ પર જવા માંગતા હોવ તો સૌથી મોટી મુશ્કેલી વિઝાની છે. હા, આ સમસ્યા એવા દેશોમાં ઊભી થતી નથી જ્યાં ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી છે, એટલે કે તમે આ દેશોમાં વિઝા વગર જ જઈ શકો છો. હવે આવા દેશોની યાદીમાં ખૂબ જ સુંદર મલેશિયા પણ સામેલ થઈ ગયું છે. તમે 30 દિવસ માટે કોઈપણ વિઝા વિના મલેશિયા જઈ શકો છો.
મલેશિયામાં ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી#Malaysia #India #Visa #Passport #Tourism #Travel #TV9News pic.twitter.com/6Edw39w3lt
— Tv9 Gujarati (@tv9gujarati) November 27, 2023
મોરબીના ચકચારી કેસની આરોપી વિભૂતિ પટેલ પોલીસ સમક્ષ હાજર થઈ છે. આ ઉપરાંત અન્ય બે આરોપી પણ પોલીસ સ્ટેશને હાજર થયા છે.પોલીસે હાથ ધરેલ પુછપરછમાં વધુ બે આરોપીના નામ ખુલ્યા છે. જેમાં પ્રીત અને ક્રિસ નામના બે યુવાનના નામ ખુલતા, બંનેને ઝડપવા પોલીસ કાર્યવાહી શરૂ છે.
ઉત્તર-પૂર્વ રાજ્ય મેઘાલયના પશ્ચિમ ખાસી હિલ્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.0 નોંધાઈ હતી. ભૂકંપ આજે સોમવારે બપોરે 2.12 વાગ્યાની આસપાસ નોંધાયો હતો.
રેઈનકોટ બનાવતા બે વેપારીઓએ, રૂપિયાની લેતીદેતી મુદ્દે, એક યુવકનું રેલવે સ્ટેશને મારામારી કરીને અપહરણ કર્યું હતું. યુવકનું અપહરણ કર્યા બાદ, તેને મુંબઈ ખાતે લઈ જવાયો હતો. અપહરણ અને મારામારીની ઘટના સીસીટીમા કેદ થઈ હોવાથી મહિધરપુરા પોલીસે સીસીટીવીના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે બે વેપારીઓની ધરપકડ કરીને અપહૃત યુવાનનો છુટકારો કરાવ્યો છે. યુવક કામદારને એડવાન્સ પગાર પેટે વેપારીઓએ 53 હજાર આપ્યા હતા. યુવક કામદારે તે રકમ પરત ના કરતા વેપારીઓએ તેને માર મારીને અપહરણ કર્યું હતું.
કચ્છના રાપરના ત્રંબો પેટ્રોલ પંપના કર્મચારી સાથે લૂંટનો બનાવ બન્યો છે. છરીને અણીએ 12 લાખની લૂંટ કરવામાં આવી છે. પેટ્રોલ પંપના કર્મચારીને છરીથી ઇજા પહોચાડીને બે આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં ત્રાટકેલી માવઠાની આફત બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઇ છે. કૃષિપ્રધાન રાઘવજી પટેલે કમોસમી વરસાદથી થયેલા નુક્સાન અંગે સર્વેના આદેશ આપ્યા છે. ઝડપથી નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલમાં તમામ કૃષિ વિભાગના જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ સ્થિતિની જાણકારી મેળવી છે. નુક્સાનીના સર્વે બાદ રાજ્ય સરકાર સહાય જાહેર કરી શકે છે.
ગઈકાલે એટલે કે 26મી નવેમ્બરની રાત્રે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમ પર એક અજાણ્યો કોલ આવ્યો હતો જેમાં કોલ કરનારે મુંબઈમાં આતંકવાદીઓની હાજરી અંગે પોલીસને જાણ કરી હતી. ગઈકાલે 26/11ના આતંકવાદી હુમલાની પણ વરસી હતી. છેલ્લા 3 દિવસમાં આ ત્રીજી વખત છે જ્યારે મુંબઈ પોલીસને ધમકીભર્યો ફોન આવ્યો છે. મુંબઈ પોલીસ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ કરી રહી છે. આ ઉપરાંત ફોન કરનારને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.
આજે પણ દિલ્હીના ઘણા વિસ્તારોનો AQI 400થી વધુ છે. આજે દિલ્હીનો એકંદર AQI 389 છે. જ્યારે ગુરુગ્રામનો AQI 375 અને નોઈડાની AQI 436 છે. દિલ્હીના હવામાનની વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે. નિષ્ણાતોનું માનવું છે કે વરસાદ બાદ પ્રદૂષણમાંથી થોડી રાહત મળવાની આશા છે.
પીએમ મોદીના મુખ્ય સચિવ પીકે મિશ્રા ઉત્તરકાશીમાં ચાલી રહેલા 41 મજૂરોના બચાવ અભિયાનની સ્થિતિ જાણવા માટે સિલ્ક્યારા ટનલ પહોંચ્યા છે. મુખ્ય સચિવ બચાવની વર્તમાન સ્થિતિ અને તેને લગતી તમામ યોજનાઓ વિશે માહિતી લેશે. તમને જણાવી દઈએ કે ટનલમાં મેન્યુઅલ ડ્રિલિંગનું કામ શરૂ થઈ ગયું છે. કુલ 11 લોકોની ટીમ મેન્યુઅલ ડ્રિલ વર્કમાં રોકાયેલ છે. ટીમના સભ્યો પાઇપની અંદર હાજર છે.
રાજ્યમાં કમોસમી વરસાદનો કેર જોવા મળી રહ્યો છે. ત્યાં દેવભૂમિ દ્વારકાના ખંભાળીયના બારા ગામે વીજળી પડતા બાળકનું મોત થયુ હોવાનુ સામે આવી રહ્યુ છે. પાર્થરાજસિંહ જાડેજા નામના બાળકનું મોત થયુ છે. તો અન્ય વિશાલસિંહ રાઠોડ નામનો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે વરસાદ આવતા સમયે બાળક વૃક્ષ નીચે ઉભા રહ્યો હતો તે સમયે આ દુર્ઘટના બની હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા છે. પીએમ મોદી આજે સવારે તિરુમાલાના શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત છે, જ્યાં તેઓ પ્રાર્થના કરશે અને પછી તેલંગાણા માટે રવાના થશે. વડાપ્રધાન સાંજે 7.40 કલાકે તિરુપતિ નજીક રેનીગુંટા એરપોર્ટ પર ઉતર્યા હતા. આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડીએ વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.
રાજ્યમાં વીજળી પડવાના કારણે કુલ 17 લોકોના મોત થયા છે.બોટાદના બરવાળા-ધોલેરા હાઈવે પર વીજળી પડતાં 22 વર્ષના યુવકનું મોત નિપજ્યું છે.તો અમરેલીના રોહિસામાં વીજળીએ 16 વર્ષના કિશોરનો જીવ લીધો.તો વિરમગામમાં ખેતરમાં કામ કરતાં ખેડૂત પર વીજળી પડતાં મોત થયું છે. તો મહેસાણાના કડીમાં વીજળી પડતાં એક યુવક અને 3 પશુના મોત નિપજ્યા હતા.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સૈનિકોની વચ્ચે ગાઝા પહોંચ્યા છે. તેમણે હમાસની ટનલની મુલાકાત લીધી છે. તેમણે કહ્યું કે જીત સુધી યુદ્ધ ચાલુ રહેશે.
હરિદ્વાર, ઉત્તરાખંડ: કારતક પૂર્ણિમાના અવસરે ભક્તોએ ગંગા નદીમાં પવિત્ર ડૂબકી લગાવી હતી.
#WATCH | Haridwar, Uttarakhand: Devotees take a holy dip in river Ganga on the occasion of #KartikPurnima pic.twitter.com/f7p44Hzm7C
— ANI (@ANI) November 27, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના તિરુપતિ પહોંચ્યા છે. મોદી આજે સવારે તિરુમાલાના શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત લેશે, જ્યાં તેઓ પ્રાર્થના કરશે અને પછી તેલંગાણા માટે રવાના થશે. વડાપ્રધાન સાંજે 7.40 કલાકે તિરુપતિ નજીક રેનીગુંટા એરપોર્ટ પર ઉતર્યા હતા. આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડીએ વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.
રાજ્યમાં ભરશિયાળે વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના કુલ 230 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો જેમા 45થી વધુ તાલુકામાં 1 થી 4 ઈંચ વરસાદ ખાબક્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનની મજબુત સિસ્ટમ સક્રિય થતા માવઠાની સ્થિતિ જોવા મળી છે.
Published On - 6:29 am, Mon, 27 November 23