GUJARAT : સરકાર દ્વારા રાજ્યભરની આંગણવાડીઓના 14 લાખ બાળકોને યુનિફોર્મ વિતરણ કરવાની યોજના શરૂ કરવામાં આવી છે. મુખ્યપ્રધાન દ્વારા આ યોજનાના વર્ચ્યૂલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લા મથકો- મહાનગરોના પદાધિકારીઓ યુનિફોર્મ વિતરણના વર્ચ્યુલ કાર્યક્રમમાં જોડાયા હતા.
36 કરોડ 28 લાખના ખર્ચે આકાર પામેલી આ યુનિફોર્મ વિતરણ યોજનાનો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કરાયો હતો. આ કાર્યક્રમ નિમિતે મુખ્યપ્રધાને કહ્યું કે, રાજ્યની 53,029 આંગણવાડીઓના નાના ભૂલકાઓને આ યુનિફોર્મથી આગવી ઓળખ મળશે. અને તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે. કોરોના સંક્રમણકાળમાં મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા ‘હેન્ડ વોશ’કેમ્પઇનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પેઈનમાં એક સાથે પાંચ લાખ બહેનોએ પાંચ હજાર સ્થળોએ જોડાઇને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સિદ્ધિ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનનું પ્રમાણ પત્ર તેમના પ્રતિનિધિએ મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યું હતું અને ત્યારબાદ આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાને મહિલા અને બાળ કલ્યાણ વિભાગને અભિનંદન આપતા પ્રમાણપત્ર વિભાગને એનાયત કર્યું.
આ પ્રસંગે મુખ્યપ્રધાને કોરોનાની સ્થિતિ અંગે પણ નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં નિયંત્રણમાં આવી છે, જોકે કોરોનાનો ખતરો યથાવત છે, તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું, રાજ્યમાં 14 મહિનાના અંતરાલ બાદ એક દિવસમાં 100થી ઓછા કિસ્સા નોંધ્યા છે.
વર્ચુઅલ સંબોધનમાં મુખ્યમંત્રીએ કહ્યું કે રોગચાળો સામે લડત હજી પણ ચાલુ છે કારણ કે કોરોનાવાયરસ હજી પણ આસપાસ છે. રાજ્યના આરોગ્ય વિભાગ મુજબ સોમવારે ગુજરાતમાં 96 નવા કેસ નોંધાયા છે. ગત વર્ષે 14 એપ્રિલે રાજ્યમાં 78 કોવિડ -19 કેસ નોંધાયા હતા. અને એક દિવસ પછી 127 કેસ નોંધાયા હતા. આ વર્ષે 30 એપ્રિલમાં, જ્યારે બીજી લહેર પિક અપ પર હતી, ત્યારે ગુજરાતમાં એક જ દિવસમાં સૌથી વધુ 14,605 કેસ નોંધાયા છે.
“કોરોનાવાયરસની બીજી તરંગ હવે લગભગ અંકુશમાં છે. ગઈકાલે 100થી ઓછા કેસ નોંધાયા છે. જોકે, વાયરસ હજી પણ નાબૂદ થયો નથી અને કોવિડ -19 સામેની આપણી લડત હજી ચાલુ છે, તેમ પણ રૂપાણીએ કહ્યું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, નવી શિક્ષણ નીતિ અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણને મજબુત કરવા માટે આંગણવાડીમાં અભ્યાસ માટે આવતા ૧૬ લાખથી વધુ બાળકોને સર્વાંગી વિકાસ માટે ‘પા પા પગલી’ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે, આ માટે આ વર્ષના બજેટમાં રૂ. પાંચ કરોડની જોગવાઈ પણ સરકારે કરી છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાએ કહ્યું કે, ભારત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ જાહેર કરાઈ છે. જેમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. આંગણવાડીમાંથી જ બાળકના ઘડતરની શરૂઆત થાય છે. તેથી જ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ભૂલકાંઓને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે.