ગુજરાત સરકારનો વન મહોત્સવમાં આટલા કરોડ વૃક્ષો રોપવાનો લક્ષ્યાંક, ગ્રીન કવર વધારવાનો પ્રયાસ

ગુજરાતના સીએમ વિજય રૂપાણી 14 ઓગષ્ટના રોજ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ખાતેથી રાજ્યકક્ષાના વન મહોત્સવનો પ્રારંભ કરાવશે. આ સ્થળે મારૂતિ નંદન વન બનાવાશે.

ગુજરાત સરકારનો વન મહોત્સવમાં આટલા કરોડ વૃક્ષો રોપવાનો લક્ષ્યાંક, ગ્રીન કવર વધારવાનો પ્રયાસ
Gujarat government aims to plant millions of trees in forest festival tries to increase green cover(File Photo)
| Edited By: | Updated on: Aug 19, 2021 | 10:35 PM

ગુજરાત(Gujarat)માં ગ્રીન કવર વધારવાના ભાગરૂપે રાજ્ય સરકારે આ વર્ષે ચોમાસા દરમ્યાન વન મહોત્સવ(Van Mahotsav)  અંતર્ગત 10 કરોડ વૃક્ષો રોપવાનો લક્ષ્યાંક મૂક્યો છે. જેમાં 15મી ઓગસ્ટ સ્વાતંત્ર દિનની ઉજવણી પૂર્વે 14મી ઓગસ્ટે રાજ્ય સરકાર દ્વારા વન મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાતના સીએમ વિજય રૂપાણી 14 ઓગષ્ટના રોજ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ખાતેથી રાજ્યકક્ષાના વન મહોત્સવનો પ્રારંભ કરાવશે. આ સ્થળે મારૂતિ નંદન વન બનાવાશે. આદિવાસી વિસ્તારમાં સ્થાનિકો દ્વારા હનુમાનજી મંદિર પ્રત્યેની શ્રદ્ધાને ધ્યાને લઇને અહીં મારૂતિ નંદન વનનું આયોજન કરાયું છે.

ગુજરાત સરકાર દ્વારા આ ઉપરાંત અન્ય તમામ જિલ્લાઓમાં પણ સમાંતર વન મહોત્સવ યોજાશે. જેમાં વન વિભાગ દ્વારા વન મહોત્સવના ભાગરૂપે રાજ્યભરમાં 200 જેટલા ઓક્સિજન વન બનાવવાનું આયોજન કરાયું છે. એક હેક્ટર કરતા વધુ જમીન ઉપલબ્ધ હશે ત્યાં ઓક્સિજન વન બનાવાશે.

દેશની વનસંપદા અને વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તેવા ઉમદા હેતુસર ગુજરાતના પનોતા પુત્ર અને તત્કાલિન કેન્દ્રિય પ્રધાન સ્વ. કનૈયાલાલ મુનશીજીએ સને ૧૯૫૦માં દેશભરમાં વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની ઉજવણીના અનોખા લોકોત્સવ-વનમહોત્સવની શુભ શરુઆત કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રેકોર્ડ ફોરેસ્ટ એરિયા (RFA) 21,647 ચોરસ કિમી છે. જેમાંથી 14,373 ચોરસ કિમી અનામત જંગલ છે. જ્યારે 2,886 ચો.કિમી રક્ષિત જંગલ અને 4,388 ચોરસ કિમી બિનવર્ગીકૃત જંગલો છે. ગુજરાત રાજ્યમાંથી છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યમાં કુલ 75,672 હેક્ટર વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો, 23 વન્યજીવન અભયારણ્યો અને એક સંરક્ષણ વન  સંરક્ષિત છે

રાજ્યનો રેકોર્ડ વન વિસ્તાર (RFA)21,647ચોરસ કિલોમીટરનો છે. જે તેના ભૌગોલિક વિસ્તારના 11.03 ટકા છે. જો કે રેકોર્ડ કરેલ વન વિસ્તારની ડિઝિટલ સીમા 30,354.44 ચોરસ કિલોમીટર આવરી લે છે. આ વિસ્તારની અંદર અને બહાર જંગલ આવરણનું વિશ્લેષણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ભારતીય કૃષિ માટે કેટલું ઘાતક છે ગ્લોબલ વોર્મિંગ, જાણો ખેડૂતોને કેવી રીતે થાય છે નુકસાન

આ પણ વાંચો :Shravan-2021: શું તમે ઘરમાં જ કરી છે શિવલિંગની સ્થાપના ? જો હા, તો અચૂક ધ્યાનમાં રાખજો આ વાત 

Published On - 7:36 pm, Fri, 13 August 21