ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) કચ્છમાં સ્નેહમિલનમાં હાજરી આપવા ભુજ આવ્યા હતા. કચ્છના (Katch) સ્વામીનારાયણ મંદિરમાં મુખ્યમંત્રીએ દર્શન કરી પુજન કર્યુ હતુ. ત્યાર બાદ ભાજપના કાર્યક્રરો સાથે સ્નેહ મિલન કાર્યક્રમમાં CM એ હાજરી આપી હતી. હવે આજે CM ભૂપેન્દ્ર પટેલ તાપી (Tapi) અને નર્મદા (Narmada) જશે. જ્યાં નક્કી કરેલા કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારબાદ CM આગળ ગુજરાતના અનેક શહેરોમાં જવાના છે.
તો ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બુધવારથી રાજ્યના 16 શહેર અને જીલ્લાના પ્રવાસ પર છે. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ મોટાભાગના જિલ્લાઓમાં સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કરશે. આ પ્રવાસમાં સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યો અંગે વાતચીત કરશ. આગામી દિવસોમાં સીએમનો કાર્યક્રમ આ મુજબ છે.
12 નવેમ્બરે બનાસકાંઠા અને મહેસાણામાં
13 નવેમ્બરે સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગરમાં
14 નવેમ્બરે ગાંધીનગર અને અમદાવાદમાં
15 નવેમ્બરે ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગરમાં
16 નવેમ્બરે પંચમહાલ, મહિસાગર અને વડોદરામાં સ્નેહમિલનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો: ગજબ ! પાકિસ્તાનની આ મહિલાઓ 65 વર્ષ સુધી બાળકોને આપી શકે છે જન્મ, 80 વર્ષે પણ દેખાય છે યુવાન, જાણો કારણ