Gujarat : છેલ્લા 24 કલાકમાં નવા 39 કેસ નોંધાયા, એક પણ મોત નહીં

|

Jul 16, 2021 | 10:56 PM

રાજ્યમાં કોરોનાનો અંત હવે નજીકમાં છે. રાજયમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. તો મૃત્યુઆંક પણ શૂન્ય થયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 39 કેસ નોંધાયા છે.

Gujarat : રાજ્યમાં કોરોનાનો અંત હવે નજીકમાં છે. રાજયમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. તો મૃત્યુઆંક પણ શૂન્ય થયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 39 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી. તો રાજ્યના 2 મહાનગરો અને 19 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. અમદાવાદમાં નવા 5 કેસ, સુરતમાં 9, વડોદરામાં 7 કેસ નોંધાયા છે. રાજ્યમાં હવે વેન્ટિલેટર પર માત્ર 7 દર્દી છે. જ્યારે એક્ટિવ કેસ 606 પર પહોંચ્યો છે. તો સાજા થવાનો દર વધીને 98.70 ટકાએ પહોંચ્યો છે.

રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં 2 લાખ 73 હજાર 547 લોકોનું રસીકરણ કરાયું. જેમાં અમદાવાદમાં 38 હજાર લોકોને રસી અપાઇ. તો સુરતમાં 28 હજાર 46, વડોદરામાં 24 હજાર 451 અને રાજકોટમાં 17 હજાર 335 લોકોનું રસીકરણ કરાયું. આમ અત્યાર સુધી કુલ 2 કરોડ 90 લાખ 27 હજાર લોકોને રસી આપી દેવામાં આવી છે.

Next Video