Porbandar : હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના દરિયાકાંઠે ભારે વરસાદનું અનુમાન છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. પોરબંદરના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદરના સુભાસનગર વિસ્તારમાં આવેલા પોર્ટ પર આ સિગ્નલ લગાવાયું છે. આ સિગ્નલ સમુદ્રમાં માછીમારોને સમુદ્ર ખેડવા નહીં જવા સૂચન કરતું છે. નોંધનીય છેકે અરબી સમુદ્રમાં પવન ફૂંકાવાની શકયતા અને ભારે વરસાદની શકયતાને પગલે G.M.B એ સિગ્નલ નંબર 3 લગાવ્યું છે.
Veraval : તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પર પણ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વેરાવળ જીએમબી દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અને, માછીમારોને દરિયા ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ભારે વરસાદ અને દરિયામાં પવન ફૂંકાવાની શક્યતાને પગલે રાજ્યના કેટલાક બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવાયા છે. જાફરાબાદ, પોરબંદર, માંગરોળ અને ગીરસોમનાથના વેરાવળ બંદર પર ભયસૂચક સિગ્નલ લગાવાયા છે. પોરબંદર પોર્ટ, જાફરાબાદ પોર્ટ, માંગરોળ પોર્ટ અને વેરાવળ પોર્ટ પર ગુજરાત મેરિટાઇન બોર્ડે દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ અપાઇ છે.
અહીં નોંધનીય છેકે હવામાન વિભાગે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનું જણાવ્યું છે. જેથી દરિયામાં ભારે પવન અને વરસાદની શક્યતા સેવાઇ રહી છે.
Published On - 5:32 pm, Mon, 12 July 21