ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે સુરત શહેરમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન શરૂ, ઘરમાં ચોકલેટના ગણપતિની પ્રતિમાનું 20 લીટર દૂધમાં વિસર્જન કરીને ઘરમાં રહો સુરક્ષિત રહોનો સંદેશો અપાયો

|

Sep 19, 2020 | 3:20 PM

ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે શહેરભરમાં ઘરે ઘરે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આ વખતે કોરોનાના કારણે જાહેર ઉત્સવની જગ્યાએ ઘરમાં જ સ્થાપનાં કરીને ઘરમાં જ વિસર્જન કરવાનો નિયમ બનાવાયો છે. જેને લોકોએ આવકાર્યો છે. ત્યારે કતારગામમાં રહેતા રોમાબેન પટેલે કોરોના સામે ઈમ્યુનિટી વધારતાં ચોકલેટના ગણેશજીની ઘરમાં જ સ્થાપનાં કરી અને વિસર્જન કર્યું છે. […]

ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે સુરત શહેરમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન શરૂ, ઘરમાં ચોકલેટના ગણપતિની પ્રતિમાનું 20 લીટર દૂધમાં વિસર્જન કરીને ઘરમાં રહો સુરક્ષિત રહોનો સંદેશો અપાયો
https://tv9gujarati.in/ganpati-bappa-mo…-visarjan-karyau/

Follow us on

ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે શહેરભરમાં ઘરે ઘરે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આ વખતે કોરોનાના કારણે જાહેર ઉત્સવની જગ્યાએ ઘરમાં જ સ્થાપનાં કરીને ઘરમાં જ વિસર્જન કરવાનો નિયમ બનાવાયો છે. જેને લોકોએ આવકાર્યો છે. ત્યારે કતારગામમાં રહેતા રોમાબેન પટેલે કોરોના સામે ઈમ્યુનિટી વધારતાં ચોકલેટના ગણેશજીની ઘરમાં જ સ્થાપનાં કરી અને વિસર્જન કર્યું છે. ઘરના સભ્યોએ એક એક લોટો દૂધનો રેડીને ગણેશજીનું ઘરમાં જ વિસર્જન કર્યું છે.

ચોકલેટના શ્રીજીની પ્રતિમાનું દૂધમાં વિસર્જન કરીને પ્રસાદ ભાવિકો સાથે ગરીબ બાળકોને આપવામાં આવ્યો છે. જેથી ધાર્મિક ભાવનાની સાથે સાથે લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તેવો સંગમ કરવામાં આવ્યો હોવાનું પટેલ પરિવારે જણાવ્યું છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund


દૂધમાં વિસર્જન કરાતા મૂર્તિમાંથી મિલ્ક શેક બન્યું ઘરની અંદર વિસર્જન વખતે 60 લિટર દૂધમાં વિસર્જિત કરી અનાથ આશ્રમમાં આપવામાં આવે છે. રોમા પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી અલગ અલગ ડિઝાઇનની ગણેશજીની ચોકલેટની પ્રતિમા બનાવું છું. ચોકલેટના ગણેશજીનું વિસર્જન દૂધમાં કરવાથી ચોકલેટ મિલ્કમાં ફેરવાઇ જાય છે.

શ્રીજીની પ્રતિમા દૂધમાં વિસર્જીત કર્યા બાદ ચોકલેટ મિલ્ક શેક બની ગયેલા મિશ્રણનો પ્રસાદ ભાવિકોની સાથે ગરીબ, અનાથ બાળકોમાં પ્રસાદ રૂપે વહેંચી દેવામાં આવ્યો હતો.


ચોકલેટના શ્રીજી આ રીતે બનાવ્યા

કતારગામમાં સુમુલ ડેરી પાસે શાંતિનિકેતનમાં રહેતા રોમા પટેલ ચોકલેટ મેકર છે. તેમણે બે દિવસની મહેનત કરી ચોકલેટમાંથી ગણપતિ બનાવ્યાં હતા. 100 ટકા વેજીટેબલ ચોકલેટમાંથી 14 કિલોની 2 ફુટની ફેન્સી ગણેશજીની પ્રતિમા બનાવી હતી. જે બનાવવા માટે ડાર્ક ચોકલેટ અને એડીબલ કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ગણપતિની પ્રતિમાં પાઘડી, મોદક, કાનની બુટી, દાંત સહિતનું આર્ટવર્ક કરવામાં આવ્યું હતું. સુંઢનો પણ વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:32 am, Tue, 1 September 20

Next Article