કલોલ પૂર્વમાં ઝાડા-ઉલટી અને કોલેરાનો કહેર: દૂષિત પાણી આવવા પાછળ ચોંકાવનારું કારણ

|

Jul 11, 2021 | 8:27 AM

કલોલમાં ઝાડા-ઉલટી અને કોલેરાનો કહેર છેલ્લા કેટલાક દિવસથી જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં કલોલ પૂર્વમાં દૂષિત પાણી આવવા પાછળ ચોંકાવનારું કારણ સામે આવ્યું છે.

કલોલ પૂર્વમાં દૂષિત પાણીથી ઝાડા – ઊલ્ટી થવાના કેસ સામે આવ્યા બાદ ખુબ હાહાકાર મચી જવા પામ્યો હતો. આ મામલે કેટલાક દિવસથી ભય અને તંત્ર પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો હતો. જો કે હવે તપાસ બાદ ઝાડા ઉલ્ટીનું કારણ મળી આવ્યું છે. તપાસમાં ડ્રેનેજ લાઈન પાસેથી પસાર થતી પીવાના પાણીની લાઈનમાં લીકેજ મળ્યાં. જેમાં કુલદીપ હોસ્પિટલ અને શ્રેયાંસના છાપરાં પાસે 2 લીકેજ મળ્યાં છે.

કુલદીપ હોસ્પિટલ પાસે પાણીની લાઈન ડેમેજ હાલતમાં મળી હતી. ચોંકાવનારી વાત એ છે કે શ્રેયાંસના છાપરાં પાસે પાણી સપ્લાય બંધ હોવા છતાં લીકેજને કારણે પાણી આવતું હોવાનું સામે આવ્યું હતું. બંને સ્થળે પીવાના પાણીની લાઈન ડ્રેનેજ કનેક્શન પાસેથી પસાર થતી હોવાના કારણે પાણી દુષિત આવતું હોવાનો ખુલાસો થયો છે .

બંને કનેક્શન મારફતે 250 ઘરમાં પીવાના પાણીનો સપ્લાય થાય છે. પાણીની લાઈનમાં તપાસ દરમિયાન લીકેજ મળ્યાં હતા. તંત્રની તપાસ દરમિયાન ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈન વચ્ચેનું અંતર 3 મીટર કરતાં ઓછું હોવાનું જાણવા મળ્યું. તમને જણાવી દઈએ કે નિયમ પ્રમાણે ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈન વચ્ચે 3 મીટરનું અંતર હોવું જરૂરી છે.

 

આ પણ વાંચો: નીતિન પટેલે કોરોના અને ચીન પર એવું કંઇક કહ્યું કે લોકો ખડખડાટ હસી પડ્યા, જુઓ Video

આ પણ વાંચો: કોરોના ભલે નથી થયો અસ્ત, ગુજરાતીઓ મસ્ત! વીક-એન્ડ માણવા આબુમાં ઉભરાયું ‘કીડિયારું’, જુઓ Video

Published On - 8:27 am, Sun, 11 July 21

Next Video