GANDHINAGAR : રાજ્યમાં મોટા પ્રમાણમાં થતી ખનીજ ચોરીને અંકુશમાં લાવવા સરકારનો મહત્વનો નિર્ણય
ખાણ-ખનીજ વિભાગમાં નોંધાયેલા તમામ વાહનોનું રજીસ્ટ્રેશન અને ટ્રેકિંગ કરવામાં આવશે.
GANDHINAGAR : રાજ્યમાં મોટા પ્રમાણમાં થતી ખનીજ ચોરીને અંકુશમાં લાવવા સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ખાણ-ખનીજ વિભાગમાં નોંધાયેલા તમામ વાહનોનું રજીસ્ટ્રેશન અને ટ્રેકિંગ કરવામાં આવશે. ખાણ-ખનીજ વિભાગમાં અંદાજિત 90 હજાર વાહનોનું રજિસ્ટ્રેશન અને ટ્રેકિંગ કરાશે. જેના માટે ખાણ-ખનીજ વિભાગે VRTS નામની નવી સિસ્ટમ વિકસાવી છે. આ સિસ્ટમ થકી નોંધાયેલા તમામ વાહનોનું ટ્રેકિંગ કરવામાં આવશે. આ સિસ્ટમ અમલી બનતા જ પેનલ્ટી ચોરી અને ગેરકાયદેસર ખનનને પણ અટકાવી શકાશે. ઉલ્લેખનિય છે કે ખનીજ માફીયાઓ દર વર્ષે ગેરકાયદે ખનન કરી સરકારને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડી રહ્યા છે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી ખાણ ખનીજ વિભાગમાં થતી કરોડોની ચોરી પર નિયંત્રણ આવશે અને સાથે જ ખનીજ ચોરી કરનારા વાહનોને સરળતાથી પકડી શકાશે. હવે જોવું રહ્યું કે આ નવી સીસ્ટમ કેટલી ઉપયોગી થશે.
આ પણ વાંચો : RAJKOT : ધોરાજીના તોરણીયામાં ચેકડેમમાં કેમિકલયુક્ત પાણી આવતા ખેડૂતોમાં રોષ
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
