GANDHINAGAR : રાજ્યમાં મોટા પ્રમાણમાં થતી ખનીજ ચોરીને અંકુશમાં લાવવા સરકારનો મહત્વનો નિર્ણય
ખાણ-ખનીજ વિભાગમાં નોંધાયેલા તમામ વાહનોનું રજીસ્ટ્રેશન અને ટ્રેકિંગ કરવામાં આવશે.
GANDHINAGAR : રાજ્યમાં મોટા પ્રમાણમાં થતી ખનીજ ચોરીને અંકુશમાં લાવવા સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ખાણ-ખનીજ વિભાગમાં નોંધાયેલા તમામ વાહનોનું રજીસ્ટ્રેશન અને ટ્રેકિંગ કરવામાં આવશે. ખાણ-ખનીજ વિભાગમાં અંદાજિત 90 હજાર વાહનોનું રજિસ્ટ્રેશન અને ટ્રેકિંગ કરાશે. જેના માટે ખાણ-ખનીજ વિભાગે VRTS નામની નવી સિસ્ટમ વિકસાવી છે. આ સિસ્ટમ થકી નોંધાયેલા તમામ વાહનોનું ટ્રેકિંગ કરવામાં આવશે. આ સિસ્ટમ અમલી બનતા જ પેનલ્ટી ચોરી અને ગેરકાયદેસર ખનનને પણ અટકાવી શકાશે. ઉલ્લેખનિય છે કે ખનીજ માફીયાઓ દર વર્ષે ગેરકાયદે ખનન કરી સરકારને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડી રહ્યા છે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી ખાણ ખનીજ વિભાગમાં થતી કરોડોની ચોરી પર નિયંત્રણ આવશે અને સાથે જ ખનીજ ચોરી કરનારા વાહનોને સરળતાથી પકડી શકાશે. હવે જોવું રહ્યું કે આ નવી સીસ્ટમ કેટલી ઉપયોગી થશે.
આ પણ વાંચો : RAJKOT : ધોરાજીના તોરણીયામાં ચેકડેમમાં કેમિકલયુક્ત પાણી આવતા ખેડૂતોમાં રોષ
MP મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ - Video
ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી
