Gujarat માં શિક્ષકોની 8 કલાકની નોકરીનો પરિપત્ર સરકારે રદ કર્યો

|

Sep 08, 2021 | 4:44 PM

ગુજરાતભરના શિક્ષકોએ મોટાપાયે વિરોધ દર્શાવ્યો હતો. વિરોધ બાદ સરકારને પરિપત્ર કરવો પડ્યો છે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે અગાઉના સમય પ્રમાણે જ શિક્ષકો કામ કરશે.

ગુજરાત(Gujarat) માં પ્રાથમિક શાળાના શિક્ષકો(Teachers) ની 8 કલાકની નોકરીનો પરિપત્ર(Notification)  સરકારે રદ કર્યો છે.સીએમ વિજય રૂપાણીની(Vijay Rupani) અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી છે. આખરે શિક્ષણ સંઘ સામે સરકાર ઝૂકી છે અને સરકારને પોતાનો નિર્ણય બદલવાની ફરજ પડી છે.

આ મામલે ગુજરાતભરના શિક્ષકોએ મોટાપાયે વિરોધ દર્શાવ્યો હતો. વિરોધ બાદ સરકારને પોતાનો પરિપત્ર રદ  કરવો પડ્યો છે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ  ચૂડાસમાએ કહ્યું કે- અગાઉના સમય પ્રમાણે જ શિક્ષકો કામ કરશે.

6 કલાકની શિક્ષકોને ડ્યુટીને 8 કલાક કરવાના સરકારના નિર્ણય સામે શિક્ષણ સંઘે ભારે વિરોધ દર્શાવ્યો હતો. શિક્ષક સજ્જતા સર્વેક્ષણના બહિષ્કાર બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ફરી શિક્ષણ વિભાગનો વિરોધ કર્યો હતો. સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ નિભાવવી પડશે એ પરિપત્રનો વિરોધ કર્યો હતો.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ગુજરાત મહિલા સંવર્ગ દ્વારા શિક્ષણપ્રધાન, શિક્ષણ સચિવ, નિયામકને આ મામલે આવેદનપત્ર આપવામાં આપ્યું હતું. પ્રાથમિક શાળાનો સમય 8 કલાકને બદલે 6 કલાક કરવા માટે રજૂઆત કરી હતી. તેમજ જો આગામી દિવસમાં માંગણી ના સ્વીકારાય તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુજરાતમાં  શિક્ષક હિતમાં આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

જેના પગલે સરકારે આખરે આઠ કલાક કામ કરવાના પરિપત્રને રદ કરવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો : Gujarat : રાજ્યના 4 પર્યટનસ્થળોનો PPP ધોરણે વિકાસ કરાશે, કેન્દ્રીય પર્યટન મંત્રાલયની મંજૂરી

આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગોંડલ, જસદણ પંથકમાં મેઘમહેર

Published On - 4:13 pm, Wed, 8 September 21

Next Video