ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 17 સપ્ટેમ્બરના રોજના નવા 191 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1238 થયા છે. જ્યારે કોરોનાના રિકવરી રેટ 99. 04 ટકા થયો છે. જ્યારે કોરોનાથી 162 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોના નવા નોંધાયેલ કેસની વાત કરીએ તો સુરતમાં 45, અમદાવાદમાં 40 ,(Ahmedabad) વડોદરામાં 17, વલસાડમાં 15, બનાસકાંઠામાં 11, ગાંધીનગર જિલ્લામાં 11, રાજકોટ જિલ્લામાં 08, રાજકોટમાં 06, સાબરકાંઠામાં 06, ગાંધીનગરમાં 05, મહેસાણામાં 04, નવસારીમાં 04, મોરબીમાં 03, સુરત જિલ્લામાં 03, આણંદમાં 02, પાટણમાં 02, વડોદરા જિલ્લામાં 02, ભરૂચમાં 01, છોટા ઉદેપુરમાં 01, જામનગરમાં 01, ખેડામાં 01, કચ્છમાં 01, સુરેન્દ્રનગરમાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે.
જ્યારે ગુજરાતના અન્ય જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જેના કારણે તંત્ર એ આજે રાહતનો શ્વાસ લીધો હતો. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્માચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે.
કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
ગણેશ ઉત્સવનો તહેવાર પૂરો થતા હવે નવરાત્રીની તાડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. તે બધા વચ્ચે નવરાત્રીના આયોજનમાં ભીડ જમા થઈ શકે છે. જેના કારણે કોરોના સંક્રમણમાં પણ વધારો થઈ શકે છે. તેથી તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી, સાવચેત રહેવાની જરુર છે.