ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)નવા કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસ 1343 થયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.03 થયા છે. જ્યારે આજે કોરોનાથી 156 દર્દીઓ સાજા થયા છે. જેમાં આજે નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો સુરતમાં 56, (Surat)અમદાવાદમાં 30, સુરતમાં 12, બનાસકાંઠામાં 08, મહેસાણામાં 07, વડોદરામાં 07, સાબરકાંઠામાં 06, ગાંધીનગરમાં 04, નવસારીમાં 04, વડોદરા જિલ્લામાં 04, ભરૂચમાં 03, રાજકોટ જિલ્લામાં 03, રાજકોટમાં 03, વલસાડમાં 03, કચ્છમાં 02, પોરબંદરમાં 02, ભાવનગરમાં 01, બોટાદમાં 01, છોટા ઉદેપુરમાં 01, અને સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે.
રસીકરણ અને નિયમોના પાલનને કારણે કોરોનાને હરાવવામાં ભારતીયો સફળ થઈ રહ્યા છે. તેવામાં હાલ ગણેશ ઉત્સવનો તહેવાર ચાલી રહ્યો છે અને થોડા દિવસોમાં નવરાત્રિનો તહેવાર શરુ થશે. તહેવારોના સમયમાં વધારે સાવધાન રહેવાની જરુર છે. તહેવારોને કારણે થતા કાર્યક્રમોમાં ભીડને કારણે કોરોના સંક્રમણ વધી પણ શકે છે.
કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.