ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, નવા 04 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 27 નવેમ્બરના રોજ કોરોનાના નવા 04 કેસ નોંધાયા છે .જયારે આજે કોરોનાથી 13 દર્દીઓ સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 212 એ પહોંચી છે. તેમજ કોરોનાના રિકવરી રેટ 99.12 ટકા થયો છે.જ્યારે આજે નોંધાયેલા કોરોનાના નવા કેસની વાત કરીએ તો અમદાવાદ 03 અને સુરતમાં 01 કેસ નોંધાયો છે

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, નવા 04 કેસ નોંધાયા
Gujarat Corona Update
| Edited By: | Updated on: Nov 27, 2022 | 7:40 PM

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 27 નવેમ્બરના રોજ કોરોનાના નવા 04 કેસ નોંધાયા છે .જયારે આજે કોરોનાથી 13 દર્દીઓ સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 212 એ પહોંચી છે. તેમજ કોરોનાના રિકવરી રેટ 99.12 ટકા થયો છે.જ્યારે આજે નોંધાયેલા કોરોનાના નવા કેસની વાત કરીએ તો અમદાવાદ 03 અને સુરતમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે રાજ્યના બાકી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. તેમજ કોરોનાના લીધે કોઇ મૃત્યુ પણ થયું નથી. ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તેમજ કોરોના વેકસીનેશનની કામગીરી પણ પુર ઝડપે ચાલી રહી છે.જ્યારે ગુજરાતના અન્ય જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જેના કારણે તંત્ર એ આજે રાહતનો શ્વાસ લીધો હતો. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે.

ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી થઈ

કોરોના મહામારીએ ભારત સહિત આખા દેશમાં તબાહી મચાવી હતી. કોરોનાના કારણે કરોડો લોકો સંક્રમિત થયા, લાખો લોકોના મોત થયા, અનેક પરિવારો વેરવિખેર થયા અને દુનિયાભરની અર્થવ્યવસ્થાને ભારે નુકશાન થયુ. કોરોના સામે રક્ષણ માટે નિયમો અને રસીકરણનો સહારો લઈને આપણે આ મહામારી બહાર આવવામાં અમુક અંશે સફર થયા છે પણ હવે દેશમાં કોરોનાની નવી લહેર આવવાના ભણકારા વાગી રહ્યા છે. તહેવારોના સમયમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. વધી રહેલા કેસોની ગતિને અટકાવવા માટે કેરળ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી થઈ છે.