ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસો યથાવત છે. જેમાં 09 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 678 કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મોત થયું છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5729 એ પહોંચી છે. જયારે રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98. 68 ટકા થયો છે. જયારે કોરોનાથી 810 દર્દીઓ સાજા થયા છે. જેમાં અમદાવાદમાં(Ahmedabad) 261, વડોદરામાં 91, સુરતમાં 37, સુરત જિલ્લામાં 29, રાજકોટમાં 27, મહેસાણામાં 22, બનાસકાંઠામાં 19, ગાંધીનગરમાં 16, ભરૂચમાં 14, રાજકોટ જિલ્લામાં 14, કચ્છમાં 13, અમરેલીમાં 12, ગાંધીનગરમાં 12, પાટણમાં 12, અરવલ્લીમાં 10, સાબરકાંઠામાં 10, પોરબંદરમાં 09, વડોદરામાં 08, આણંદમાં 07, ભાવનગરમાં 07,નવસારીમાં 07, વલસાડમાં 06, ખેડામાં 05, અમદાવાદ જિલ્લામાં 04, જામનગરમાં 04, પંચમહાલમાં 04, સુરેન્દ્રનગરમાં 04, દાહોદમાં 03, મોરબીમાં 03, ભાવનગરમાં 02, જામનગરમાં 02, દ્વારકામાં 01, ગીર સોમનાથમાં 01, નર્મદામાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે.
કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ નૈતિક જવાબદારી સમજીને પર્યટન ન કરે અને ઘરે તેવી અપીલ કરાઇ છે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઇ છે. કોરોના કારણે દેશ અને દુનિયામાં માનસિક, શારીરિક અને આર્થિક રીતે લોકોને ખુબ નુકશાન થયુ છે. જો સાવચેતી નહીં રાખવામાં આવે તો કોરોના ફરી તબાહી મચાવી શકે છે. તેથી યોગ્ય પગલા લઈ, સાવચેતી રાખવી જરુરી છે.
Published On - 8:09 pm, Tue, 9 August 22