Gandhinagar : શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ મામલે શિક્ષક અને સરકાર આમને સામને, શિક્ષણ નિયામકનો પરિપત્ર

|

Aug 24, 2021 | 7:31 AM

રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કરવા સરકાર અડગ છે. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સાથેની બેઠક બાદ સરકારે વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, બાળકોના ભવિષ્ય અને શિક્ષણના હિતમાં આ સર્વેક્ષણ ચાલુ જ રહેશે.

Gandhinagar : શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ મામલે શિક્ષક અને સરકાર આમને સામને આવી ગઇ છે. ત્યારે આ સ્થિતિની વચ્ચે આજે સર્વેક્ષણના નામે શિક્ષકોની કસોટી લેવામાં આવશે. રાજ્યના શિક્ષણ શિક્ષણ નિયામકે પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં શિક્ષણ નિયામકે શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ મરજિયાત હોવાનો ઉલ્લેખ કર્યો છે.

તો સર્વેક્ષણ અંગે સરકારી પ્રાથમિક શાળાઓનો સમય પણ બદલવામાં આવ્યો છે. આજે સરકારી પ્રાથમિક શાળાઓનો સમય બપોરે 12થી સાંજે 4.30 વાગ્યાનો છે. જોકે સર્વેક્ષણમાં જોડાનાર શિક્ષકોએ ઓનલાઇન પોર્ટલમાં ઓન ડ્યુટી દર્શાવવી પડશે. અને સર્વેક્ષણમાં ન જોડાનાર શિક્ષકોએ પણ પોર્ટલમાં ઓનલાઇન હાજરી દર્શાવવી પડશે.

રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કરવા સરકાર અડગ છે. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સાથેની બેઠક બાદ સરકારે વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, બાળકોના ભવિષ્ય અને શિક્ષણના હિતમાં આ સર્વેક્ષણ ચાલુ જ રહેશે.

શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, આ સર્વે ફરજિયાત નહીં પણ મરજિયાત છે. અને શિક્ષણ વિભાગ શૈક્ષણિક સંગઠનોની સહમતી મળ્યા બાદ જ સર્વેક્ષણને લઈને આગળ વધ્યું હતું. તેમણે શૈક્ષિક સંઘના વિરોધને અયોગ્ય ઠેરવતા વધુમાં કહ્યું કે, શિક્ષણનો પાયો મજબૂત કરવા માટે સર્વેક્ષણ જરૂરી છે. કેમ કે શિક્ષક પોતાના વિષયમાં સજ્જ હોય તે જરૂરી છે.

તો બીજી તરફ શૈક્ષિક સંઘ હજુ પણ આ સર્વેક્ષણ રદ કરવાની માગ પર અડગ છે. શૈક્ષિક સંઘે આક્ષેપ કરતા કહ્યું કે, સરકારે જે-તે સમયે સર્વેક્ષણને લઈને સ્પષ્ટતા કરી જ નહોતી. અને હવે સર્વેક્ષણ માટે શિક્ષકો પર દબાણ કરાઈ રહ્યું છે.

શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહે ભ્રષ્ટાચારના આક્ષેપો મુદ્દે પણ જવાબ આપ્યો હતો. તેમણે ભ્રષ્ટાચારના આક્ષેપો સામે તટસ્થ રીતે તપાસ કરાવવાની ખાતરી આપી હતી.

Next Video