Gandhinagar : કોરોના મૃતક સરકારી કર્મચારીના પરિજનોને સહાય ચૂકવવાની મંજૂરી હવે ઝડપથી મળશે, રાજય સરકારનો નિર્ણય

|

Aug 03, 2021 | 10:42 PM

કોરોના મૃતકના પરિજનોને સહાય ચૂકવવાની મંજૂરી હવે ઝડપથી મળશે. આ બાબતે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સહાયની મંજૂરી આપવાની સત્તા જે-તે વિભાગના વડાને સોંપવામાં આવી છે.

Gandhinagar : કોરોનામાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના પરિવાજનો માટે રાહતના સમાચાર આવ્યા છે. કોરોના મૃતકના પરિજનોને સહાય ચૂકવવાની મંજૂરી હવે ઝડપથી મળશે. આ બાબતે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સહાયની મંજૂરી આપવાની સત્તા જે-તે વિભાગના વડાને સોંપવામાં આવી છે. અત્યાર સુધી આ મંજૂરીની સત્તા નાણા વિભાગ પાસે હતી. માત્ર નાણા વિભાગ પાસે જ સત્તા હોવાના કારણે ઘણા કિસ્સાઓમાં વિલંબ થતો હતો. કોરોનામાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓને 25 લાખ રૂપિયાની સહાય ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયથી સરકારી કર્મચારીઓના પરિજનોને ઘણી રાહત મળશે.

 

Next Video