Gandhinagar : પત્રકારો પર હુમલાનો કેસ, આસારામના સાધકોને કોર્ટે ફટકારી સજા

|

Aug 13, 2021 | 7:07 PM

ગાંધીનગર કોર્ટે પત્રકારો પર હુમલાના કુલ 5 કેસો પૈકી 1 કેસના 19 આરોપીઓમાંથી 7 આરોપીઓને સજા ફટકારી છે.

Gandhinagar : આસારામના સાધકોએ પત્રકારો પર કરાયેલ હુમલાનો કેસમાં કોર્ટે આરોપીઓને સજા ફટકારી છે. ગાંધીનગર કોર્ટે પત્રકારો પર હુમલાના કુલ 5 કેસો પૈકી 1 કેસના 19 આરોપીઓમાંથી 7 આરોપીઓને સજા ફટકારી છે. આ તમામને એક વર્ષની હાલ સજા ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે, 2008મા મોટેરા આશ્રમ પર ગૃરૂપૂર્ણિમાના દિવસે કવરેજ કરવા ગયેલા પત્રકારો પર સાધકોએ હુમલો કર્યો હતો. જે મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે 2008ના કેસમાં આખરે કોર્ટે સાધકોને સંભળાવી છે. જેમાં સાધકોને ચોથી જાગીર પર હુમલાના કેસમાં કસુરવાર ઠેરવવામાં આવ્યા છે.

 

Next Video