GANDHINAGAR : રાજ્યમાં હોસ્ટેલો શરૂ કરવા સરકારે મંજૂરી આપી, 50 ટકા ક્ષમતા સાથે છાત્રાલયો શરૂ થશે

|

Jul 30, 2021 | 7:53 AM

હાલ વિકસતી જાતિ કલ્યાણ ખાતાના તાબા હેઠળના છાત્રાલયને મંજૂરી આપવામાં આવી છે. કોલજો સાથે ધોરણ 9થી 12ના છાત્રાલયો પણ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે અને આ માટે SOP પણ જાહેર કરવામાં આવી છે.

GANDHINAGAR : રાજ્યમાં શાળા-કોલેજો શરૂ થયા બાદ વિદ્યાર્થીઓ હોસ્ટેલ-છાત્રાલયો શરૂ થવાની કાગડોળે રાહ જોઈ રહ્યાં હતા, હવે આ અંગે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. રાજ્યમાં હોસ્ટેલ-છાત્રાલયો શરૂ કરવા સરકારે મંજુરી આપી છે. હાલ વિકસતી જાતિ કલ્યાણ ખાતાના તાબા હેઠળના છાત્રાલયને મંજૂરી આપવામાં આવી છે. કોલજો સાથે ધોરણ 9થી 12ના છાત્રાલયો પણ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે અને આ માટે SOP પણ જાહેર કરવામાં આવી છે. તમામ હોસ્ટેલ-છાત્રાલયોએ આ SOPનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. 50 ટકા ક્ષમતા સાથે છાત્રાલયો શરૂ થશે.

આ પણ વાંચો : AHMEDABAD : રૂ.20ની પાણીની બોટલના રૂ.110 થી રૂ.160 વસુલતી 11 હોટલો સામે કાર્યવાહી 

આ પણ વાચો : AHMEDABAD : 50 જેટલા ટ્રાફિક સિગ્નલ વૃક્ષ કે મેટ્રો પિલ્લરના કારણે ઢંકાયા, વાહનચાલકોને મુશ્કેલી 

Next Video