Gandhinagar : અપોલો હોસ્પિટલે 1,100 વિદ્યાર્થીઓ સાથે નેશનલ પિડિયાટ્રિક સર્જરી ડે ની ઉજવણી કરી

|

Dec 29, 2022 | 7:33 PM

અપોલો હોસ્પિટલ્સે ગાંધીનગરમાં જનતકુમાર ભગુભાઇ પ્રાથમિક શાળાના 1,100 વિદ્યાર્થીઓ સાથે નેશનલ પિડિયાટ્રિક સર્જરી ડે (રાષ્ટ્રીય બાળરોગ સર્જરી દિવસ)ની ઉજવણી કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેના ઇન્ટરેક્ટિવ સત્રમાં અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના પિડિયાટ્રિક સર્જન ડો. દિપ્તી પાઇ દવેએ જન્મજાત ખામી ધરાવતી બાળરોગ સર્જરીઓ વિશે વાત કરી હતી

Gandhinagar : અપોલો હોસ્પિટલે 1,100 વિદ્યાર્થીઓ સાથે નેશનલ પિડિયાટ્રિક સર્જરી ડે ની ઉજવણી કરી
Apollo Hospital

Follow us on

અપોલો હોસ્પિટલ્સ ગાંધીનગરમાં જનતકુમાર ભગુભાઇ પ્રાથમિક શાળાના 1,100 વિદ્યાર્થીઓ સાથે નેશનલ પિડિયાટ્રિક સર્જરી ડે (રાષ્ટ્રીય બાળરોગ સર્જરી દિવસ)ની ઉજવણી કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેના ઇન્ટરેક્ટિવ સત્રમાં અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના પિડિયાટ્રિક સર્જન ડો. દિપ્તી પાઇ દવેએ જન્મજાત ખામી ધરાવતી બાળરોગ સર્જરીઓ વિશે વાત કરી હતી. જન્મજાત વિસંગતતાઓ અથવા જન્મજાત ખામીઓ માળખાકીય અથવા કાર્યાત્મક ખામીઓ છે કે જે ગર્ભાવસ્થાના તબક્કામાં અથવા બાળકના જન્મ અથવા જીવનના આગળના તબક્કામાં થાય છે. જન્મજાત ખામીઓ લાંબાગાળે અક્ષમતામાં પરિણમે છે, જેનાથી વ્યક્તિ અને તેના પરિવારજનો પ્રભાવિત થાય છે. આ ખામીઓ સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ, રંગસૂત્ર વિકૃતિઓ, આનુવંશિક ખામીઓ અને પર્યાવરણીય ઘટકોને કારણે થઇ શકે છે.

આ પ્રસંગે વાત કરતાં ડો. દિપ્તી પાઇ દવેએ કહ્યું હતું કે, “ભારતમાં જન્મજાત ખામીઓનું પ્રમાણ 6-7 ટકા છે અને તેમાંથી મોટાભાગના કેસ ગ્રામિણ ભારતમાં જોવા મળે છે. નેશનલ પિડિયાટ્રિક સર્જરી ડેની ઉજવણી કરવાનો ઉદ્દેશ્ય માતા-પિતા, શિક્ષકો અને તબીબી નિષ્ણાંતો વચ્ચે બાળરોગ અને નવજાત સર્જીકલ બિમારીઓ તથા બાળકની સર્જરી માટે શા માટે પિડિયાટ્રિક સર્જન સુરક્ષિત વિકલ્પ છે, તેના વિશે જાગૃતિ પેદા કરવાનો છે.”

અપોલો હોસ્પિટલ્સના સીઓઓ નીરજ લાલે કહ્યું હતું કે, “ભારતમાં પિડિયાટ્રિક સર્જનની ગંભીર અછત છે, જે સર્જરીની આવશ્યકતા ધરાવતા બાળકોની સંખ્યાને જોતાં મોટો અવરોધ છે.”

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

માર્ચ ઓફ ડાઇમ્સના અહેવાલ મૂજબ ભારતમાં દર વર્ષે 1.7 મિલિયન જન્મજાત ખામીઓ જોવા મળે છે. કેટલીક સામાન્ય વિસંગતતાઓમાં જન્મજાત હ્રદયરોગ, જન્મજાત બહેરાશ અને ન્યુરલ ટ્યુબ ખામીઓ સામેલ છે.આ કાર્યક્રમમાં ડો. દવે ક્વિઝ માસ્ટર બન્યાં હતાં અને તેમણે ધોરણ પાંચથી નવના વિદ્યાર્થીઓને માનવ શરીરરચના અને શરીરવિજ્ઞાન સંબંધિત રસપ્રદ પ્રશ્નો પૂછ્યાં હતાં. તેમણે વિદ્યાર્થીઓને તબીબી વ્યવસાયમાં જોડાઇને સમાજની સેવા કરવા પ્રેરણા આપી હતી

 

Next Article