Gandhinagar : ગુજરાતમાં વિજય રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ઉજવણી કરવામાં આવશે. રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ પહેલી ઓગસ્ટથી લઈ નવમી ઓગસ્ટ સુધી ઉજવણી કરાશે. કોરોના નિયમોના ચુસ્ત પાલન સાથે રાજ્યભરમાં ઉજવણીના કાર્યક્રમો નક્કી થશે. વિજય રૂપાણી સરકારમાં જનઉપયોગી કાર્યોને વધુ સક્રિયતાથી આગળ લઈ જવા માટે તાલુકા કક્ષાએ કાર્યક્રમ યોજાશે. રાજ્યમાં મહિલા, યુવા, ખેડૂત, ઉદ્યોગ, રોજગાર, શિક્ષણ, આદિવાસી કલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરાશે. આ ઉજવણી થકી લોકો સાથે સંવાદનો સરકાર પ્રયાસ કરશે. આ કાર્યક્રમોમાં મુખ્યપ્રધાન રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલ, પ્રધાનો, સાંસદ, ધારાસભ્યો, સમાજના આગેવાનો જોડાશે. ગુજરાતમાં આગામી 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા સરકાર અને સંગઠનને પ્રજા વચ્ચે રહેવાની મોવડીમંડળે સૂચના આપી છે.