Gandhinagar : ખારીકટ-ફતેવાડી યોજનાનો 35 હજાર હેક્ટર પિયત વિસ્તાર નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાશે, 6000 ખેડૂતોને લાભ થશે

|

Sep 01, 2022 | 4:20 PM

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) આ 111 ગામોના અંદાજે 35 હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો ત્વરિત નિર્ણય કરીને આ લાંબા સમયથી પડતર પ્રશ્નનો સુખદ ઉકેલ લાવી દીધો છે

Gandhinagar : ખારીકટ-ફતેવાડી યોજનાનો 35 હજાર હેક્ટર પિયત વિસ્તાર નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાશે, 6000 ખેડૂતોને લાભ થશે
Narmada Canal Irrigation
Image Credit source: File Image

Follow us on

ગુજરાતના(Gujarat)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Cm Bhupendra Patel)રાજ્યના 111 ગામોના ખેડૂતોને (Farmers) સિંચાઇ(Irrigation) માટે પૂરતું પાણી મળી રહે તે માટેકૃષિ હિતલક્ષી નિર્ણય કર્યો છે. જેમાં મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર ખારીકટ-ફતેવાડી યોજનાના અંદાજે 35 હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાશે. ખારીકટ-ફતેવાડી યોજનાનો આ આશરે 35 હજાર હેક્ટર પિયત વિસ્તાર નિયમીત પાણીના અભાવે છેલ્લા ઘણા વર્ષોથી સિંચાઇના પાણીની તકલીફ ભોગવતો હતો. એટલું જ નહીં,અત્યાર સુધી સરદાર સરોવર યોજનામાંથી જેટલું શક્ય બને એટલું પાણી આ પિયત વિસ્તારને આપીને ખેતી બચાવવામાં આવી હતી

111 ગામોના અંદાજે 35 હજાર હેક્ટર પિયત વિસ્તારને સમાવી લેવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 111 ગામોના અંદાજે 35 હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો ત્વરિત નિર્ણય કરીને આ લાંબા સમયથી પડતર પ્રશ્નનો સુખદ ઉકેલ લાવી દીધો છે. જેમાં ભૂપેન્દ્ર પટેલના આ કિસાન હિતકારી નિર્ણયને પરિણામે 111 ગામોના 6 હજારથી વધુ ખેડૂતોને પણ સિંચાઇ માટે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારોના અન્ય ખેડૂતોને જે રીતે નિર્ધારીત પાણી મળે છે તે જ રીતે નર્મદા જળ મળતું થશે.

Published On - 4:18 pm, Thu, 1 September 22

Next Article