Gujarat માં કોરોનાના કેસમાં ઘટાડો, 30 જિલ્લા અને પાંચ મહાનગરમાં શૂન્ય કેસ

|

Sep 08, 2021 | 11:39 PM

કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં 6-6 નોંધાયા છે. જયારે વડોદરામાં 4 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે.

ગુજરાત(Gujarat) માં કોરોનાના(Corona)  કેસ સતત ઘટી રહ્યાં છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 17 કેસ નોંધાયા છે.જ્યારે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદ(Ahmedabad)  અને સુરતમાં 6-6  નોંધાયા છે. જયારે વડોદરામાં 4 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે.

રાજ્યના કુલ 30 જિલ્લા અને 5 મહાનગરોમાં શૂન્ય કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસ(Active Case) ની સંખ્યા 151 પર પહોંચી છે.રાજ્યમાં વેન્ટિલેટર પર હવે કોરોનાના 6 દર્દીઓ છે.

ગુજરાતના સતત ઘટી રહેલા કોરોનાના કેસ વચ્ચે સરકારે વેકસિનેશન પર ભાર મૂક્યો છે. તેમજ જો રાજ્યમાં
રસીકરણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5 લાખ 32 હજાર લોકોનું રસીકરણ કરાયું છે. જયારે રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 60 હજાર 879 લોકોનું રસીકરણ કરાયું.

જ્યારે અમદાવાદમાં 55 હજાર 630 લોકોએ રસી મુકાવી છે. આ તરફ વડોદરામાં 22 હજાર 447 અને રાજકોટમાં 25 હજાર 542 લોકોએ રસીકરણ કરાવ્યું છે. રાજ્યમાં કુલ 5 કરોડ 7 લાખનું રસીકરણ પૂર્ણ થયું છે.

ગુજરાતમાં સતત ઘટી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્ય સરકારે હવે આગામી દિવસોમાં ધોરણ 1 થી 5 ની શાળાઓમાં પણ ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની વિચારણા કરી રહી છે. જો કે આ અંગે સરકારે હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરી નથી.

જો કે આગામી દિવસોમાં આવનારા ગણેશ મહોત્સવમાં પણ સરકારે અગમચેતીના ભાગરૂપે કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાની સૂચના આપી છે. તેમજ ગણેશ મહોત્સવમાં પણ મોટી પ્રતિમા અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યા છે.

આ પણ વાંચો : સુરતમાં વરસ્યો રાહતનો વરસાદ, ઉકાઈ ડેમની સપાટી 334 ફૂટને પાર

આ પણ વાંચો : Ganesh Utsav પૂર્વે રાજકોટ આરોગ્ય વિભાગે મોદકના નમૂના લઇ પરીક્ષણ અર્થે મોકલ્યા

Published On - 11:37 pm, Wed, 8 September 21

Next Video