રાજ્યમાં આજથી નિ:શુલ્ક મળશે કોરોના વિરોધી રસીનો બૂસ્ટર ડોઝ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરથી કરાવી અભિયાનની શરુઆત

|

Jul 15, 2022 | 10:57 AM

ગાંધીનગરથી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) આ અભિયાનની શરૂઆત કરાવી. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ (Health Minister Rishikesh Patel) પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં આજથી નિ:શુલ્ક મળશે કોરોના વિરોધી રસીનો બૂસ્ટર ડોઝ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરથી કરાવી અભિયાનની શરુઆત
મુખ્યપ્રધાને આજથી રાજ્યમાં નિ:શુલ્ક બૂસ્ટર ડોઝ અપાવવાની કરાવી શરુઆત

Follow us on

દેશમાં આજથી કોરોના વાયરસના  (Corona virus) સંક્રમણથી બચવા માટે મફતમાં બુસ્ટર ડોઝ (Booster dose) મળશે. આજથી 75 દિવસ સુધી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 18થી 59 વર્ષની ઉંમરની વ્યક્તિને બુસ્ટર ડોઝ અપાશે. 18થી 59 વર્ષની ઉંમરના લોકો સરકારી વેક્સિનેસન (Vaccination) કેન્દ્રો પરથી બુસ્ટર ડોઝ લઈ શકશે. જે લોકોએ કોરોના વેક્સિનના બે ડોઝ લઈ લીધા છે અને ત્રીજા ડોઝનો સમય થયો છે તે તમામ લોકો સરકારી રસીકરણ કેન્દ્ર પરથી મફતમાં ડોઝ મેળવી શકશે. ગાંધીનગરથી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) આ અભિયાનની શરૂઆત કરાવી. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ (Health Minister Rishikesh Patel) પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

75 દિવસ સુધી અપાશે નિઃશુલ્ક રસી

આજથી રાજ્યમાં 15 થી 59 વર્ષ ના લોકો માટે કોરોના પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થશે. અત્યાર સુધી દેશમાં કોરોનાના વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ મફત મળતો હતો, જ્યારે બૂસ્ટર ડોઝ માટે નાણાં ચુકવવા પડતા હતા. જો કે હવે ફરીથી રાજ્યમાં નિ:શુલ્ક બુસ્ટર ડોઝ આપવામાં આવશે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી પીએમ મોદીએ પોતે ટ્વીટ કરીને કહ્યું હતું કે રસી એ કોરોના સામેની લડાઈ છે. આ નિર્ણયથી ભારતની રસીકરણ અભિયાનને આગળ વધારવા માટે મદદ કરાશે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે તેમના જન્મદિવસે આ અભિયાન ગાંધીનગરથી શરુ કરાવી. ગાંધીનગરમાં યોજાનારા આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

લોકોમાં જોવા મળી રહી હતી બેદરકારી

આ નિર્ણય પાછળનું એક મોટું કારણ એ પણ હતું કે, તે સામાન્ય લોકોને મફતમાં આપવામાં આવતો ન હતો. આ માટે તેમને પૈસા ચૂકવવા પડતા હતા. કોરોનાના કેસોમાં ઘટાડો થવાને કારણે લોકોમાં આવી બેદરકારી જોવા મળી હતી. જો કે, ઘણા આરોગ્ય નિષ્ણાતો વારંવાર ચેતવણી આપી રહ્યા છે કે લોકોએ તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા જોઇએ નહી અને બને તેટલી જલદી બૂસ્ટર ડોઝ લઇ લેવો જોઇએ. કારણ કે દેશમાંથી કોરોના નાબૂદ થયો નથી.

જે લોકો કોરોનાથી સાજા થયા છે અને ત્રણ મહિના થયા છે તે પણ બુસ્ટર ડોઝ લઈ શકશે. તો આરોગ્ય વિભાગે ગર્ભવતી મહિલાઓને પણ બુસ્ટર ડોઝ લેવાની સલાહ આપી છે. મહત્વનું છે કે, દુનિયાભરના અભ્યાસમાં સામે આવ્યું છે કે, કોરોના સામે લડવામાં બુસ્ટર ડોઝ અસરકાર છે. અત્યાર સુધીમાં 18થી 59 વર્ષની ઉંમરના 77 કરોડ લોકોમાંથી માત્ર 1 ટકા લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો છે. જ્યારે અત્યાર સુધીમાં 60 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના લોકો અને ફ્રન્ટલાઈન વર્કર્સમાંથી 26 ટકા લોકોએ બુસ્ટર ડોઝ લઈ લીધો છે.

Published On - 9:52 am, Fri, 15 July 22

Next Article