
ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)નવા કેસની સંખ્યા સતત ઘટી રહી છે. જેમાં 04 ઓકટોબરના રોજ કોરોનાના નવા 80 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 718 થયા છે. જ્યારે કોરોનાના રિકવરી રેટ 99.08 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 141 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 24,(Ahmedabad)સુરતમાં 16, વડોદરામાં 08, સુરતમાં 06, રાજકોટમાં 04, વલસાડમાં 04, વડોદરામાં 03, બનાસકાંઠામાં 02, ગાંધીનગરમાં 02, કચ્છમાં 02, મહેસાણામાં 02, સુરેન્દ્રનગરમાં 02, ભરૂચમાં 01, ભાવનગરમાં 01, જામનગરમાં 01, ખેડામાં 01 અને નવસારીમાં 01 કેસ નોંધાયો છે.
નવરાત્રીની હાલ ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. તે બધા વચ્ચે નવરાત્રીના આયોજનમાં ભીડ જમા થઈ શકે છે. જેના કારણે કોરોના સંક્રમણમાં પણ વધારો થઈ શકે છે. તેથી તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી, સાવચેત રહેવાની જરુર છે. આવનારા સમયમાં દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે. તેમાં પણ તમામ પ્રકારની સાવધાની રાખવી જરુરી છે.
કોરોનાથી બચવા કોરોના નિયમોનું પાલન કરવું પણ એટલું જરુરી છે. તેની મદદથી જ ભારત કોરોના મહામારીમાંથી બહાર નીકળવામાં સફળ થયું છે. સરકારે લોકોને વેક્સીન લેવા માટે પણ વિંનતી કરી છે. જેથી કોરોનાને ઝડપથી નાબૂદ કરી શકાય. તેના માટે આખા ગુજરાતમાં વેક્સીનેશન સેન્ટર આજદિન સુધી કાર્યરત છે.
Published On - 8:17 pm, Tue, 4 October 22