Gujarat News: રાજ્યના સાડા ત્રણ લાખ ટ્ર્સ્ટની કામગીરી હવે આંગળીનાં ટેરવે, ચાર કરોડ જેટલા ડૉક્યુમેન્ટસનું ડિજિટલાઇઝેશન કરાયુ

|

May 25, 2022 | 4:52 PM

ગાંધીનગર (Gandhinagar)ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર (CM Bhupendra patel)પટેલ દ્વારા રૂપિયા 22 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 8 ચેરિટી ભવનનું ઇ- ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

Gujarat News: રાજ્યના સાડા ત્રણ લાખ ટ્ર્સ્ટની કામગીરી હવે આંગળીનાં ટેરવે, ચાર કરોડ જેટલા ડૉક્યુમેન્ટસનું ડિજિટલાઇઝેશન કરાયુ
Chief Minister performed e-bhumi pujan

Follow us on

રાજ્યમાં (Gujarat)નોંધાયેલા સાડા ત્રણ લાખ જેટલા ટ્રસ્ટની કામગીરીના નિયમન અને મદદ માટે ચેરિટી તંત્ર (Charity)કામ કરે છે તેની વધુ સારી કામગીરી માટે રાજ્યના 8 જિલ્લાઓમાં 22 કરોડના ખર્ચે નવા ચેરિટી ભવન બનાવવામાં આવશે. આ જિલ્લાઓમાં ગીર સોમનાથના-વેરાવળ, બોટાદ, અરવલ્લીના મોડાસા, સુરેન્દ્રનગર, ભૂજ, લુણાવાડા, હિંમતનગર અને મોરબીનો સમાવેશ થાય છે. ગાંધીનગર (Gandhinagar)ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર (CM Bhupendra patel)પટેલ દ્વારા રૂપિયા 22 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 8 ચેરિટી ભવનનું ઇ- ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

ઇ -ખાતમુર્હુત  પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ચેરિટી તંત્રને ચાર કરોડ જેટલા ડૉક્યુમેન્ટસના ડિજિટલાઇઝેશનની  અતિશય ઝીણવટ ભરી અને લાંબી  કામગીરી પૂર્ણ કરવા માટે અભિનંદન પણ પાઠવ્યા હતા. મુખ્ય પ્રધાન  ભૂપેન્દ્ર પટેલે  જણાવ્યું  હતું કે રાજ્યના બધા જ જિલ્લાઓમાં અદ્યતન સુવિધા સભર ચેરિટી ભવનોના નિર્માણથી ટ્રસ્ટના કામ સરળતાએ અને ઝડપી થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આ રેકર્ડનું ડિજિટલાઇઝેશન થવાથી હવે લોકોને ઘરે બેઠા જ પોતાના ટ્રસ્ટની માહિતી  સચોટ રીતે  મેળવી શકશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ચેરિટી ભવનો આધુનિક થવાથી ચેરિટીને લગતી  તમામ  કામગીરી માટે લોકોને અગાઉ જે અલગ-અલગ સ્થળોએ જવું પડતું તેનું પણ નિવારણ આવશે અને એક જ સ્થળે  તમામ વિગતો મળી રહેશે.   તો  કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં આવેલા ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટની મિલકતનો સમાજના હિત માટે ઉપયોગ થાય અને વહીવટદારો સુયોગ્ય વહીવટ કરે તેવા ઉમદા હેતુ સાથે રાજ્યના ચેરીટીતંત્રને વધુ સુદ્રઢ બનાવી શકાય છે. આ નવા ચેરિટી કચેરીના ભવન બનવાથી સુવિધામાં વધારો થશે તેમજ નવા કચેરીઓના ભવનોના કારણે લિટીગન્સને પણ સરળતાથી ન્યાય મળી શકશે. તેમજ આધુનિક ભવનો થવાથી ચેરિટીને લગતી કામગીરી માટે લોકોને અગાઉ જે અલગ-અલગ સ્થળોએ જવું પડતું  હતું અને સમય બગડતો હતો  તે સમસ્યા પણ  નિવારી શકાશે.

Published On - 1:28 pm, Wed, 25 May 22

Next Article