GANDHINAGAR : પોલીસ કર્મીઓના ગ્રેડ પે વધારા મુદ્દે રચાયેલી કમિટીની પાટનગરમાં પ્રથમ બેઠક મળશે

|

Nov 03, 2021 | 12:56 PM

રાજ્યમાં પોલીસ કર્મીઓના ગ્રેડ પે વધારા મુદ્દે રચાયેલી કમિટીની આજે પાટનગરમાં પ્રથમ બેઠક મળશે. ગાંધીનગર એસપી કચેરી પર બપોર બાદ આ બેઠક યોજાવાની છે. જેમાં ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાના પોલીસ જવાનોના પ્રશ્નો સાંભળવામાં આવશે.

રાજ્યમાં પોલીસ કર્મીઓના ગ્રેડ પે વધારા મુદ્દે રચાયેલી કમિટીની આજે પાટનગરમાં પ્રથમ બેઠક મળશે. ગાંધીનગર એસપી કચેરી પર બપોર બાદ આ બેઠક યોજાવાની છે. જેમાં ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાના પોલીસ જવાનોના પ્રશ્નો સાંભળવામાં આવશે. સરકારે આઈજીપી બ્રિજેશ કુમાર ઝાને કમિટીના અધ્યક્ષ બનાવેલા છે. તેમની અધ્યક્ષતાવાળી કમિટી આજે પોલીસકર્મીઓની રજૂઆતો સાંભળશે. મહત્વનું છે કે ગ્રેડ પે મુદ્દે રાજ્યમાં શરૂ થયેલા આંદોલન બાદ સરકારે પ્રશ્નોના નિરાકરણ માટે ખાસ કમિટીની રચના કરી હતી. અને તમામ પ્રશ્નોના યોગ્ય નિરાકરણની ખાતરી આપી હતી.

આ સાથે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ સૂચના આપી હતી કે કોઇપણ પોલીસ કર્મચારીઓ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે આંદોલન કરશે તો કાર્યવાહી કરવામાં આવશે. ડીજીપીની સૂચના છતાં સોશિયલ મીડિયા પર આંદોલન ચાલુ છે.જેને લઈ કાર્યવાહી પણ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 571 પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહી થઇ છે. જ્યારે આ સંદર્ભે થયેલી ફરિયાદોની સંખ્યા 19 પર પહોંચી છે.

નોંધનીય છેકે છેલ્લા કેટલાક દિવસો ગ્રેડ પેને લઇને પોલીસ કર્મીઓમાં માંગણી ઉઠી રહી છે. ત્યારે આજે મળનાર બેઠકમાં આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાવાની સંભાવનાઓ દેખાઇ રહી છે. ત્યારે આ બેઠકમાં શું નિર્ણય લેવાય છે તેના પર સૌકોઇની નજર રહેશે.

આ પણ વાંચો : રાજકોટના આ ઉધોગપતિના ઘરે શાહી લગ્ન પ્રસંગ, ચાર્ટડ પ્લેનમાં જશે જાન અને જમણવારની થાળીના 18 હજાર રૂપિયા

આ પણ વાંચો : Surendranagar: જૈનાબાદ ગામમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ આધેડની કરી દીધી હત્યા, પંથકમાં સન્નાટો

Next Video