ગુજરાતમાં આજે કોરોનાના નવા 8 કેસ નોંધાયા, કોરોનાથી એક પણ મૃત્યુ નહીં

|

Mar 28, 2022 | 8:43 PM

ગુજરાતમાં ધીરેધીરે કોરોના કેસો અંકુશમાં આવી રહ્યા છે. આજે રાજયમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે. ત્યારે એક રાહતના સમાચાર એ છેકે કોરોનાથી રાજયમાં એક પણ મોત થયું નથી.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 8 કેસ નોંધાયા, કોરોનાથી એક પણ મૃત્યુ નહીં
Eight new cases of corona were reported in Gujarat today, not a single death from corona (ફાઇલ)

Follow us on

ગુજરાતમાં (Gujarat) ધીરેધીરે કોરોના (Corona) કેસો અંકુશમાં આવી રહ્યા છે. આજે રાજયમાં કોરોનાના નવા 8 કેસ (Case) નોંધાયા છે. ત્યારે એક રાહતના સમાચાર એ છેકે કોરોનાથી રાજયમાં એક પણ મોત થયું નથી. આજે રાજય ભરમાં 33 દર્દીઓ સાજા થયા છે.‍રાજયમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 12,12,703 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.‍આ સાથે રાજયનો રીકવરી રેટ 99.09 ટકા જટેલો છે.‍રાજ્યમાં કોવિડ-19ના‍ 8 દર્દીઓ નોંધાયેલા છે. રાજયમાં હાલ કુલ 234 કોરોનાના કેસ એક્ટીવ છે. જેમાં 03 દર્દીઓ વેન્ટીલેટર પર છે. અને, 231 દર્દીઓ સ્ટેબલ સ્થિતિમાં છે. આ સાથે રાજયમાં કોરોનામાં મોતનો આંકડો કુલ 10,942 છે.

આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના નવો 01 કેસ નોંધાયો છે. આ સાથે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં પણ 03 કોરોનાના કેસ નોંધાયા છે. જયારે વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં પણ નવા 03 કેસ સામે આવ્યા છે. સાથે જ દાહોદ શહેરમાં એક કોરોનાનો કેસ નોંધાયો છે. આમ રાજયમાં કોરોનાના કુલ નવા 08 કેસ નોંધાયા છે. જયારે રાજયમાં આજે કોરોનાથી એક પણ મોત થયું નથી. રાજયમાં ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરીએ તો સૌથી વધારે ગાંધીનગર જિલ્લામાં 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ત્યાર બાદ પંચમહાલમાં કુલ 8 દર્દીઓ આજે સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તો અમદાવાદમાં 6 અને વડોદરામાં 03 અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 01 દર્દી ડિસ્ચાર્જ થયો છે. આમ રાજયમાં આજે કોરોનાના કુલ 33 દર્દીઓ સાજા થયા છે.

આ પણ વાંચો : IPL 2022 : ચેન્નઇ સુપર કિંગ્સ સાથે જોડાયો મોઈન અલી, સાથી ખેલાડીઓ સાથે કઇક આવા અંદાજમાં સ્વાગત કર્યું

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો : IPL 2022 RR vs SRH Live Streaming: રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો મેચ

Published On - 8:04 pm, Mon, 28 March 22

Next Article