ગોટાળાબાજોની દુનિયામાં સુરતની એક વ્યક્તિ નીકળી સૌથી ઈમાનદાર માણસ, ભાડાના ઘરમાં રહેતા એક ગુજરાતીને મળ્યા લાખો રૂપિયાના હીરા

|

Feb 13, 2019 | 8:21 AM

સુરતમાં મોટા પાયે હીરા વેપાર આવેલો છે. આખો હીરા વેપાર માત્ર વિશ્વાસ અને એકબીજાના ભરોસા પર ચાલતો વેપાર કહી શકાય. ત્યાં હીરા બજારમાં ફરી એક વાર ઈમાનદારીની મિશાલ જોવા મળી રહી છે. આ ભાઈનું નામ છે રમેશભાઈ મિસ્ત્રી. તેઓ વર્ષોથી સુરતના વરાછા હીરા બજારમાં હીરા ખરીદી-વેચાણનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને ભાડાના મકાનમાં […]

ગોટાળાબાજોની દુનિયામાં સુરતની એક વ્યક્તિ નીકળી સૌથી ઈમાનદાર માણસ, ભાડાના ઘરમાં રહેતા એક ગુજરાતીને મળ્યા લાખો રૂપિયાના હીરા

Follow us on

સુરતમાં મોટા પાયે હીરા વેપાર આવેલો છે. આખો હીરા વેપાર માત્ર વિશ્વાસ અને એકબીજાના ભરોસા પર ચાલતો વેપાર કહી શકાય. ત્યાં હીરા બજારમાં ફરી એક વાર ઈમાનદારીની મિશાલ જોવા મળી રહી છે.

આ ભાઈનું નામ છે રમેશભાઈ મિસ્ત્રી. તેઓ વર્ષોથી સુરતના વરાછા હીરા બજારમાં હીરા ખરીદી-વેચાણનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને ભાડાના મકાનમાં રહે છે. ત્યારે રમેશભાઈ ગઈ કાલે હીરા બજારમાંથી પરત ફરી રહ્યાં હતા. તે જ સમયે તેની નજર રોડ પર પડેલા હીરાના પેકેટ પર પડી અને તે પેકેટ તેમને ઉઠાવી જોતા તેમાં લાખોના હીરા જોવા મળ્યા.

આ અંગે રમેશભાઈનું કહેવું છે,

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

“મારી કે કોઈની પણ હીરાના પેકેટ પર દાનત બગડે તે પહેલા મેં હીરા મારા સેફ વોલ્ટમાં મૂકી કીધા અને તાત્કાલિક આ બાબતે સુરત રત્નકલાકાર સંઘ અને ડાયમંડ એસો.ને જાણ કરી કે આવું એક હીરાનું પેકેટ મળ્યું છે. જેની પાછળ પણ એક કારણ છે કે કોઈ નાના દલાલ કે વેપારીનું આ પેકેટ હોય તો કદાચ કોઈ દલાલ ચિંતામાં ને ચિંતામાં ઉંધું પગલું ભરે તે પહેલા જાહેરાત કરી એક કે હીરા પેકેટ મળી આવ્યું છે જેથી કોઈ અણબનાવ ન થાય. આમ હીરા બજાર એકબીજાના વિશ્વાસ પર હજુ સુધી ચાલી રહ્યું છે. આ હીરા પેકેટ માટે જ્યારે કોઈ એવી ખાતરી કે પુરાવા આપશે કે તેનું છે ત્યારે તેને પરત કરી દેવાશે.”

TV9 Gujarati

 

 

જુઓ VIDEO:

હીરાની દલાલીનું કામ કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા રમેશભાઈ ખરેખર ઈમાનદારીનું એક આગવું ઉદાહરણ છે. સામાન્ય રીતે હીરાના વેપારીઓને ત્યાં સીસીટીવી કેમેરા વગર ચાલે જ નહીં, લોકો પર નજર રાખવા કેમેરા હવે જ્યાં જરૂરિયાત બની ગયા છે. ત્યારે રમેશભાઈ જેવા લોકો જો દરેક જગ્યાએ કામ કરતા થઈ જાય તો કદાચ સીસીટીવની જરૂર જ ન રહે, કેમ, ખરું ને? તમારું શું કહેવું છે?

[yop_poll id=1370]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article