Dwarka : દ્વારકાધીશ મંદિરમાં અડધી કાઠીએ ધજા ચડાવાઈ, શિખર પર વીજળી પડવાથી થયું નુકસાન

|

Jul 14, 2021 | 5:01 PM

શિખર પર રહેલા પાટલીના બે ભાગ પર બેસીને અબોટી પરિવાર ધજા ચડાવે છે. પાટલીને નુકસાન પહોંચતા અડધી કાઠીએ ધજા ફરાકવાની ફરજ પડી હતી.

દ્વારકાધીશ મંદિરના (Dwarkadhish Temple) શિખર ધ્વજ પર વીજળી પડવાની ઘટના બની હતી. જેના કારણે શિખર પર રહેલા પાટલીના બે ભાગને નુકસાન પહોંચ્યું છે. જેના કારણે દ્વારકાધીશને ધજા અડધી કાઠીએ ચડાવી પડી છે. શિખર પર રહેલા પાટલીના બે ભાગ પર બેસીને અબોટી પરિવાર ધજા ચડાવે છે. પાટલીને નુકસાન પહોંચતા અડધી કાઠીએ ધજા ફરાકવાની ફરજ પડી હતી.

ગઈકાલે દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ (Rain) નોંધાયો હતો. ત્યારે દ્વારકા જગત મંદિર પાસે વીજળી પડવાના દ્રશ્યો સામે આવ્યા હતા. વીજળી દ્વારકાધીશ મંદિરના (Dwarkadhish Temple) શિખર ધ્વજ પર પડતા ધ્વજા ખંડિત થઈ હતી. દ્વારકાધીશ મંદિર શિખર ધ્વજ પર વિજળી પડયાનો વીડિયો પણ સામે આવ્યો હતો.

Next Video