પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ સાથે થઈ રહેલી ગેરવર્તણૂક અને હુમલાઓને જરાય સાંખી નહીં લેવાય, રાજ્યના પોલીસવડા બાદ ગૃહરાજ્યપ્રધાને પણ આ અંગે સખત શબ્દોમાં ચેતવણી આપી છે. ઘણી જગ્યાએ પોલીસ અને મેડિકલની ટીમ પર હુમલા તથા ગેરવર્તણુકની ઘટનાઓ સામે આવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તેના પર ગૃહરાજ્ય પ્રધાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મેડિકલ ટીમ અને પોલીસ સાથે આવી ઘટનાઓ ચલાવી લેવામાં આવશે નહીં. આ સાથે તેમણે કહ્યું કે જે લોકો પોલીસ અને મેડિકલ ટીમ સાથે ખરાબ વર્તન કરશે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આ ઉપરાંત રાજ્યમાં લૉકડાઉન લંબાવવા અંગે આવતીકાલે નિર્ણય લેવાશે.
અમદાવાદ શહેરની સ્થિતિનું નિરિક્ષણ કરવા નીકળેલા ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે વાત કરી છે. કેન્દ્ર સરકાર સાથે પરામર્શ બાદ આ અંગે હવે નિર્ણય લેવાશે. આવતીકાલે 21 દિવસના લૉકડાઉનનો છેલ્લો દિવસ છે. ત્યારે આવતીકાલે જ લૉકડાઉન લંબાવવા અંગે નવો નિર્ણય સામે આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 8:56 am, Mon, 13 April 20