દુબઇથી આવેલા ત્રણ લોકો પોઝિટિવ
દાહોદમાં દુબઇથી આવેલા ત્રણ લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. ઓમિક્રોન વેરિયન્ટની દહેશત વચ્ચે ગુજરાતમાં વિદેશથી આવેલા આ ત્રણ વ્યક્તિના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા સમગ્ર દાહોદ જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ત્રણેય કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં આઠ લોકો આવ્યા હોવાની માહિતી મળી છે. આ ત્રણેય કોરોના સંક્રમિત અને તેમના સંપર્કમાં આવેલા આઠેય લોકોના રિપોર્ટને જીનોમ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે.
નગરપાલિકા એક્શનમાં
દાહોદમાં દુબઈથી આવેલ 3 લોકો કોરાના સંક્રમીત થતા નગરપાલીકા એકશનમાં આવી ગઇ છે. દાહોદ નગરપાલીકા પ્રમુખ સહીત કાઉન્સિલર્સ નગરમાં ફરી માસ્ક ફરજીયાત પહેરવા લોકોને અપીલ કરી રહ્યા છે. તેમજ જેમનું વેક્સિનેશન બાકી હોય તેમને વેક્સીન લેવા પણ અપીલ કરી રહ્યા છે.
મહત્વનું છે કે દાહોદ જીલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોડઁર પાસેનો જિલ્લો હોવાના પગલે સાવચેતી રાખવી જરૂરી છે. કારણકે દેશના અન્ય કેટલાક રાજ્યોમાં પણ ઓમિક્રોનના કેસ નોંધાયેલા છે.
આ પણ વાંચો – Vicky Kaushal Net Worth : વિકી કૌશલ એક ફિલ્મ માટે લે છે આટલા કરોડ, જાણો કેટલી છે એક્ટરની સંપત્તિ