Breaking News : ઢોસાના ખીરુંથી મોતના આરોપ કેસમાં મોટો ખુલાસો, પુત્રપ્રાપ્તિના મોહમાં 2 બાળકીની હત્યા થયાની પોલીસને આશંકા

ચાંદખેડામાં ઢોંસાના ખીરા મામલે બે બાળકીઓના મોતનો મામલો વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે.પુત્રપ્રાપ્તિના મોહમાં 2 બાળકીની હત્યા થયાની પોલીસને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

| Updated on: Apr 10, 2026 | 12:06 PM

અમદાવાદ શહેરમાં થોડા દિવસ પહેલા ચાંદખેડા મારુતિ પ્લાઝા રેસિડેન્સીમાં રહેતા પ્રજાપતિ પરિવારની બે દીકરીઓના ઢોસા ખાવાથી મૃત્યુ થયું હતુ. જે બાદ હવે અઢી માસની બાળકીનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતુ.આ સમગ્ર મામલે વિસ્તારમાં ચકચારી મચી ગઈ છે. કારણ કે ઢોસા ખાધા બાદ બે બાળકીના મોત થયા છે. માતા-પિતાની તબિયત લથડી હતી. આ મામલે હવે એક મોટો ખુલાસો માતાની ડાયરીમાં થયો છે.અમદાવાદના ચાંદખેડામાં 2 બાળકીના મોત મામલે તપાસ તેજ બની ગઈ છે.

પુત્રપ્રાપ્તિના મોહમાં 2 બાળકીની હત્યા

પુત્રપ્રાપ્તિના મોહમાં 2 બાળકીની હત્યા થયાની પોલીસને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃત્યુનું કારણ જાણવા પોલીસ FSL રિપોર્ટની રાહ જોઈ રહી છે.રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીઓના મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે, તપાસ દરમિયાન અત્યાર સુધી કુલ 25 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. ઘનશ્યામ ડેરીના સ્ટાફ, પાડોશીઓની પણ સઘન પૂછપરછ કરાઈ રહી છે.ઘરમાંથી મળેલી ડાયરીમાં પત્નીની પુત્રપ્રાપ્તિની ઈચ્છાનો ખુલાસો થયો છે.પોલીસે તપાસ માટે પતિ પત્નીના CDR રિપોર્ટ પણ મંગાવ્યા છે.

ડાયરીએ કર્યા અનેક ખુલાસા

પહેલી બાળકી બાદ બીજા સંતાનમાં પુત્ર ઇચ્છતા હતા. પોલીસને વિમલભાઈના ઘર માંથી એક ડાયરી પણ મળી આવી છે. ડાયરીમાં પુત્રપ્રાપ્તિ ઈચ્છા હોવાનું લખાણ લખવાના આવ્યું હતું. પત્ની ભાવનાએ ડાયરીમાં લખ્યું હતું. પુત્ર પ્રાપ્તિ થાય તે માટે પત્ની ભાવનાએ માનતા રાખી હોવાનું પણ લખાણ મળી આવ્યું છે. વિમલ 2024માં અગાઉ થોડા દિવસ માટે મુંબઈ કામ માટે નીકળી ગયો હતો. પોલીસે પતિ પત્નીના cdr રિપોર્ટ પણ મંગાવ્યા છે.

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહી ક્લિક કરો

 

 

Published On - 11:49 am, Fri, 10 April 26

Follow Us