
સાબરકાંઠાના હિંમતનગરના જવાનગઢ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત, અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે.શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવે પર આ ઘટના બની છે. મિની બસે કારને પાછળથી અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખસેડવામાં આવ્યા છે.ગાંભોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
6 ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ પણ મોકલવામાં આવી શકે છે. હાલમાં તો પોલીસ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.અકસ્માત થતા જ અફરાતફરીનો માહૌલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાને લઈ હાઈવ પર ટ્રાફિક જામ થયો હતો.સાબરકાંઠા જવાનગઢ અકસ્માત બાદ ગેરકાયદે કટ બંધ કરાયો છે.શામળાજી-હિંમતનગર નેશનલ હાઇવે પરના ગેરકાયદે કટને બંધ કરાયો છે.નેશનલ હાઈવે પર શરુ કરાયેલ ગેરકાયદેસર કટને પોલીસે બંધ કર્યો છે.વળાંક નજીક જોખમી સ્થળે કટને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયોની પ્રાથમિક અનુમાન છે.
પોલીસે બેરિકેડ લગાવીને કટને બંધ કર્યો છે.
નેશનલ હાઈવે ઓથોરિટીના નિરીક્ષણમાં બેદરકારી હોવાની આશંકા,એસપી, ડીવાયએસપી, આરટીઓ, ડેપ્યુટી ક્લેકટર, સહિતના સંયુક્ત નિરીક્ષણને હાથ ધરી ગેરકાયદેસર હાઈવે કટ બંધ કરાશે.અકસ્માત નિવારવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીને પણ જોખમી કટ અંગે જણાવાશે,ભવિષ્યમાં અકસ્માતના જોખમ ના સર્જાય એ માટે કાર્યવાહી કરાશે.
હિંમતનગરના જવાનગઢ પાટિયા નજીક અકસ્માતમાં 6ના મોત થયા છે. આ ગોઝારા અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે આવ્યા છે.CCTV મુજબ કાર ચાલકની ગંભીર બેદરકારી હોવાનું અનુમાન છે.કારચાલકે જ્યાં કટ નથી ત્યાં વળવા માટે કારમાં અચાનક બ્રેક મારી હતી,કાર અચાનક ધીમી કરી બ્રેક કરતા ખાનગી બસે અડફેટે લીધી હતી.
Published On - 11:20 am, Wed, 29 April 26