
સાબરકાંઠાના હિંમતનગરના જવાનગઢ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત, અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે.શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવે પર આ ઘટના બની છે. મિની બસે કારને પાછળથી અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખસેડવામાં આવ્યા છે.ગાંભોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
6 ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ પણ મોકલવામાં આવી શકે છે. હાલમાં તો પોલીસ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 11:20 am, Wed, 29 April 26