Breaking News : Cyclone Biporjoy ની સ્થિતિ અંગે પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી, જરૂરી તમામ સહાયની ખાતરી આપી

ગુજરાતમાં Cyclone Biporjoy ની સ્થિતિ અંગે પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે. તેમજ જરૂરી તમામ સહાયની ખાતરી આપી છે.

Breaking News : Cyclone Biporjoy ની સ્થિતિ અંગે પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી, જરૂરી તમામ સહાયની ખાતરી આપી
| Edited By: | Updated on: Jun 16, 2023 | 12:05 AM

ગુજરાતમાં Cyclone Biporjoy ની સ્થિતિ અંગે પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે. તેમજ જરૂરી તમામ સહાયની ખાતરી આપી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી.વડાપ્રધાને ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્ય પ્રાણીઓની સલામતીની પણ વ્યવસ્થાની પૃચ્છા કરી તે અંગે પણ ચિંતા કરી હતી.

Cyclone Biporjoy ના પરિણામે ગુજરાતમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. માનવજીવ સાથોસાથ પશુઓ અને વન્યપ્રાણી સૃષ્ટિને પણ ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચ સાથે આ સંભવિત વાવાઝોડાથી સુરક્ષિત રાખવાનું સુદ્રઢ આયોજન વન વિભાગે હાથ ધર્યું છે.

આ વાવાઝોડાની જે વિસ્તારોમાં અસર થવાની છે, તેવા જૂનાગઢના ગીર જંગલના એશિયાટિક લાયન(Asiatic Lion) ઉપરાંત કચ્છના નારાયણ સરોવર અભયારણ્ય અને માતાના મઢ, બરડા તથા નારાયણ સરોવર ખાતે પણ રેસ્ક્યુ ટીમ વ્યૂહાત્મક રીતે પોઝિશન્ડ કરી દેવામાં આવી છે.

એશિયાટિક સિંહના ઝોનમાં 184 ટીમ એક્શનમાં, 58 કન્ટ્રોલ રૂમ દ્વારા મોનિટરીંગ

જૂનાગઢના વાઇલ્ડલાઇફ અને ટેરિટોરિયલ સર્કલના 9 ડિવિઝન અંતર્ગત કુલ 184 ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ વન્ય પ્રાણીઓના બચાવ, રેપિડ એક્શન, ઝાડ હટાવવા સહિતની વિવિધ કામગીરી કરશે. વન્ય પ્રાણીઓ માટેના ઇમરજન્સી SOS મેસેજ મેળવવા માટે 58 કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. જૂનાગઢ વાઇલ્ડલાઇફ અને ટેરિટોરિયલ સર્કલના 9 ડિવિઝનમાં જૂનાગઢ ફોરેસ્ટ સહિત ગીર પૂર્વ, ગીર પશ્વિમ, સાસણ, પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર અને મોરબીનો સમાવેશ થાય છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:26 pm, Thu, 15 June 23

Follow Us