Breaking News : ગો એરલાઇન્સ ની ફ્લાઈટો બંધ, અમદાવાદ એરપોર્ટથી નહીં ભરે ઉડાન

|

May 03, 2023 | 11:24 AM

દેશના સૌથી જૂના ઉધ્યોગ સમૂહ વાડિયા જૂથની એરલાઇન ગો ફર્સ્ટ એરલાઇને નાદારી જાહેર કરતાં ફ્લાઈટો બંધ કરાઇ છે. કંપની ફડચામાં જતા ફલાઈટો બંધ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.

Breaking News : ગો એરલાઇન્સ ની ફ્લાઈટો બંધ, અમદાવાદ એરપોર્ટથી નહીં ભરે ઉડાન

Follow us on

દેશના સૌથી જૂના ઉધ્યોગ સમૂહ વાડિયા જૂથની એરલાઇન ગો ફર્સ્ટ એરલાઇને નાદારી જાહેર કરતાં ફ્લાઈટો બંધ કરાઇ છે. કંપની ફડચામાં જતા ફલાઈટો બંધ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.

અમદાવાદ એરપોર્ટથી ચાર ફ્લાઈટો બંધ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ થી દિલ્હી મુંબઈ ગોવા વારાણસી જતી ફ્લાઈટો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કંપનીને નુકસાન જતા કંપની ફડચામાં ગઈ જેને લઈ ફલાઈટો બંધ કરી હોવાની ચર્ચા થઈ રહી છે. કંપનીને ખર્ચ નહીં પોસાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનુ છે કે, વેકેશન સમયે ફલાઇટો બંધ થતા મુસાફરોને રઝડવાનો વારો આવી શકે છે.

આ સાથે ગો ફર્સ્ટ એરની તમામ ફ્લાઈટ 15 મે સુધી કેન્સલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દેશભરની ગો એરની તમામ ફ્લાઇટ કેન્સલ થતાં હજારો મુસાફરો અટવાયા છે. અચાનક જાહેરાત થતાં મુસાફરોના શિડ્યુલ ખોરવાયા. મહત્વનુ છે કે અગાઉથી બુકિંગ કરાવેલ મુસાફરો અન્ય ફ્લાઈટની બુકિંગ માટે મથામણ માટે દોડધામ કરવા મજબૂર બન્યા છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 11:03 am, Wed, 3 May 23

Next Article