Botad: બોટાદના કષ્ટભંજન દેવની મહિમા અનોખી છે. જેના લીધે દર શનિવારે ભક્તો મોટી સંખ્યામાં અહીયાં આવે છે. જેમાં પ્રસંગોપાત દાદાને અલગ અલગ પ્રકારનો શણગાર કરવામાં આવે છે. જેમાં વસંત ઋતુની શરૂઆત થવાની હોવાથી દાદાને કેસુડાંના ફૂલ અને કાળી લીલી દ્રાક્ષથી શણગાર કરવામાં આવ્યો છે. તેમજ હોળી અને ધૂળેટીનો તહેવાર આવતો હોવાના લીધે ખજૂર અને ધાણીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સાળંગપૂર હનુમાનના દર્શન માટે શનિવારે લોકો મોટી સંખ્યામાં આવે છે.
આ પણ વાંચો: Astrology: રવિવારે અસ્ત થશે શુક્ર ગ્રહ, ઉદય થશે ગુરુ ગ્રહનો, જાણો શું થશે અસર