Rajkot: ગુજરાતમાં છ મહાનગરપાલિકામાં ભાજપના શાનદાર વિજય બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે હોમ ટાઉન રાજકોટમાં સભાને સંબોધન કર્યું હતું. તેમણે વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ કહ્યું હતું કે ભાજપ સત્તાને સેવાનું માધ્યમ માને છે. તેમજ Rajkot વાસીઓનો હું આભાર માંનું છું. તેમણે કહ્યું હતું કે રાજકોટમાં 64 બેઠક પછી કોંગ્રેસે ખાતું ખોલાવ્યું હતું. તેમજ કોંગ્રેસની આબરૂ Rajkotની જનતાએ 4 સીટ આપી બચાવી છે. સીએમ રૂપાણીએ કહ્યું કે જનસંઘ વખતથી રાજકોટ ભાજપનો ગઢ રહ્યો છે. તેમજ આવું જ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં થવાનું છે. તેમજ અમારા પર વધુ જવાબદારી આવી છે, તેમ સમજી વિકાસ કરીશું. તેમણે કહ્યું કે છ મહાનગરપાલિકામાં કાર્યકરોની મહેનત રંગ લાવી છે.
આ પણ વાંચો: Uttar Pradesh વિધાનસભામાં ધ્વનિમતથી પસાર થયો એન્ટી લવ જેહાદ કાયદો, જાણો મહત્વની વાતો