Bhavnagar : માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદ

|

Feb 13, 2022 | 6:01 PM

ભાવનગર જીલ્લો એટલે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન કરતો જિલ્લો છે. ત્યારે આ વર્ષે પણ ડુંગળીનું વાવેતર ખૂબ જ મોટી માત્રામાં થતા હાલમાં ડુંગળીનું ઉત્પાદન નો મબલક પાક ભાવનગર અને મહુવાના યાર્ડમાં વેચાણ માટે આવી રહ્યું છે.

Bhavnagar : માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદ
Bhavnagar Market Yard Onion Income

Follow us on

ભાવનગર(Bhavnagar)જિલ્લામાં આ વર્ષે ભારે ડુંગળીના(Onion)વાવેતર ને લઈને હાલમાં ડુંગળીનું ઉત્પાદન થતા મબલખ પાક ભાવનગર માર્કેટિંગ યાર્ડની વેચાણ માટે આવી રહ્યો છે. હાલમાં ડુંગળીની આવક માં વધારો થતાં ભાવનગર યાર્ડ માં જગ્યા ઓછી પડતાં જેને લઇને નારી ચોકડી ખાતે સબ યાર્ડ શરૂ કરી ખેડૂતોની ડુંગળી વેચાણ માટે ત્યાં ઠલવાઈ રહી છે. ત્યારે હાલમાં ખેડૂતોને ડુંગળીના ભાવ ખુબજ સારા મળી રહ્યા છે. જેને લઇને ખેડૂતો(Farmers)અને વેપારીઓ પણ ખુશ છે આવક હજુ વધવાની શક્યતાઓ છે. પરંતુ આવક સતત વધવાની શક્યતાઓ આવનારા દિવસોમાં બહુ ઓછી છે. ત્યારે ખેડૂતો સરકારને ડુંગળીના ભાવ સ્થિર રહે તેવા નિર્ણયો લેવા અપીલ કરી રહ્યા છે.

ડુંગળીની આવક 70 હજાર ગુણી

ભાવનગર જીલ્લો એટલે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન કરતો જિલ્લો છે. ત્યારે આ વર્ષે પણ ડુંગળીનું વાવેતર ખૂબ જ મોટી માત્રામાં થતા હાલમાં ડુંગળીનું ઉત્પાદન નો મબલક પાક ભાવનગર અને મહુવાના યાર્ડમાં વેચાણ માટે આવી રહ્યું છે. હાલની જો વાત કરવામાં આવે તો ડુંગળીના સારા ભાવ મળતા જિલ્લાના તાલુકા મથકો પરથી ડુંગળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને રોજિંદી 60 થી 70 હજાર ગુણીની આવક થઈ રહી છે. જોકે યાર્ડની કેપીસીટિ ઓછી પડતાં નારી ચોકડી પાસે સબ યાર્ડ માં ડુંગળી વેચાણ માટે મુકાઈ રહી છે. આજની ડુંગળી ની આવક 70 હજાર ગુણી થવા પામેલ છે. છેલ્લા પાંચ દિવસથી ડુંગળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવનગર યાર્ડમાં દિવસ દરમિયાન તબક્કાવાર હરાજી કરાય તો પણ માં 50 થી 60 હજાર ગુણીની હરાજી કરી શકાય છે.

350 થી 575 સુધીના ભાવે વીસ કિલો ડુંગળી વેચાઈ રહી છે

જ્યારે સતત ડુંગળીની આવકથી યાર્ડ ખીચોખીચ ભરાઇ જવા પામેલ છે. હાલમાં ડુંગળીના ભાવ ખુબજ સારા મળી રહ્યા છે. 350 થી 575 સુધીના ભાવે વીસ કિલો ડુંગળી વેચાઈ રહી છે. ત્યારે સારા ભાવ મળતા ખેડૂતો ખુશ ખુશાલ છે જોકે આ ભાવ કેટલા દિવસ મળે તે પણ કાઈ નક્કી ના કેહવાય જેમ વધારે ડુંગળી ની આવક જેમ જેમ થશે તેમ ભાવ ઘટવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે જાણકાર ખેડૂતોના કેહવા પ્રમાણે આ વર્ષે ડુંગળી ના પાકમાં રોગચાળો અને પાછોતરા વરસાદને લીધે ડુંગળી નું ઉત્પાદન ઘટશે અને મોટી માત્રામા ડુંગળીની આવક લાંબા દિવસો નહિ થાય.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતો ખેડૂત ભારે ખુશખુશાલ

હાલમાં ડુંગળીનું ઉત્પાદન મબલખ થવા પામેલ છે ત્યારે હાલમાં ખૂબ જ મોટી માત્રામાં ડુંગળીની આવક ભાવનગર અને મહુવા યાર્ડ માં થઇ રહી છે. ત્યારે થોડા સમય પહેલાં જ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીને લઇને સારા ભાવ મળે તે માટે નિકાસ થી લઇને અમુક બાબતોમાં ધ્યાન આપે તો ખેડૂતો ને સારા ભાવ મળવાની શક્યતાઓ રહેલી છે. જોકે હાલમાં ડુંગળીના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા છે. જેને લઇને ડુંગળીની સારી આવક થતાં ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતો ખેડૂત ભારે ખુશખુશાલ છે.

આ પણ વાંચો : Ahmedabad: આવાસ યોજનાના મકાનોના બારોબાર સોદા કરી કરોડો રૂપિયાનું રેકેટ ચલાવનાર મુખ્ય આરોપી યુપીથી પકડાયો

આ પણ વાંચો : બનાસકાંઠા : વારંવાર બદલાતા હવામાનને પગલે બટાકાના પાકમાં સુકારાનો રોગચાળો, ખેડૂતોને નુકસાનની ભીતિ

Published On - 5:58 pm, Sun, 13 February 22

Next Article