વ્યાજખોરી મામલે કોર્ટનું કડક વલણ : AAP ના અગ્રણી મનહર પરમારના જામીન નામંજૂર કરી જેલ હવાલે કરાયા

|

Feb 15, 2023 | 7:33 AM

આરોપી મનહર પરમાર ગઈ ટર્મમાં ભરૂચમાંથી આમ આદમી પાર્ટી તરફથી વિધાનસભા ચૂંટણી લડયા હતા.ભરૂચ જીલ્લા એસ.પી. ડો. લીનાબેન પાટીલ તેમજ તેમની ટીમ અને અધિકારોએ વ્યાજખોરી સામે સખત કાર્યવાહી શરૂ કરી છે. આરોપી મનહર પરમારની ધરપકડ થતાં તેઓએ ભરૂચ જીલ્લા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી.

વ્યાજખોરી મામલે કોર્ટનું કડક વલણ : AAP ના અગ્રણી મનહર પરમારના જામીન નામંજૂર કરી જેલ હવાલે કરાયા
Manhar Parmar - AAP Leader

Follow us on

ભરૂચ જીલ્લામાં વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહીની ઝુંબેશમાં એકપછી એક વ્યાજખોરોના જામીન નામંજૂર થઇ રહ્યા છે અને કોર્ટે  આરોપીઓને જેલ હવાલે કરી રહી છે. વ્યાજખોરીના વેપલામાં આમ આદમી પાર્ટીના અગ્રણી મનહર પરમાર સામે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ધર્મિષ્ઠાબેન જીતેન્દ્રભાઈ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ સંદર્ભે મનહર પરમારની ધરપકડ બાદ તેમણે કોર્ટમાં જમીન માટે અરજી કરી હતી જે ભરૂચના પ્રિન્સીપલ એન્ડ સેશન્સ જડજ હમર્મદ સાહેબે ફગાવી દીધી હતી. સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ પી બી પંડ્યાએ રજૂઆતો કરી આ કેસમાં જમીન ના મંજુર કરી દાખલારૂપ આદેશની માંગ કરી હતી જે કોર્ટે સ્વીકારી હતી.

વાર્ષિક 120% વ્યાજે નાણાં  આપ્યા હતા

મનહર પરમાર સામે નોંધાયેલી ફરિયાદ અનુસાર રૂપિયા 10 લાખ ની ૨કમ આરોપી મનહર પરમારે માસિક 10 ટકા ના વ્યાજે એટલે કે 120% ના વાર્ષિક દરે નાણાધીરી મોટી તગડી ૨ક્રમ અને વ્યાજનું પણ વ્યાજ વસુલ કરી ફરીયાદીની માલિકીનું એક મકાન જે શ્રી રેસીડેન્સી ભરૂચ મુકામે આવેલ હતું તે ગેરકાયદેસર રીતે પડાવી લીધેલું હતું અને તેનો ગેરકપદેસર ક્બજો કરી લીધો હતો. ફરીયાદીએ આ તમામ રકમ બેંક મારફતે આરોપી મનહર પરમારના દિકરા જે આ ગુનામાં આરોપી છે તે કેતન પરમારના ખાતામાં જમા કર્યા હોવા છતાં ફરીયાદીની મિલકત લઈ લીધી હતી જેથી આરોપીઓ સામે ગુજરાત મની લોન્ડરીંગ એકટનીજોગવાઈ વિરૂધ્ધ અને કલમ-૫ મુજબ વ્યાજ વટાવનું લાયસન્સ ધરાવ્યા વગર નાણાં ધીરધારનો ધંધો કરવા બદલ તેમજ તે સિવાય અન્ય ક્લમો જેવી કે કલમ-૧૯, ૨૧ તેમજ ૪૨ ની જોગવાઈનો ભંગ કરી ઉંચા દરે વ્યાજ વસુલ કરવાના તેમજ આઈપીસીની ક્લમ-૩૮૪, ૩૮૬ એક્સટોરશન, ધાક ધમકી આપી સ્થાવર-જંગમ મિલકતો પડાવી લેવાના તેમજ ઈ.પી.કોડની કલમ-૪૪૭, ૫૦૪, ૫૦૬(૨) મુજ ધાધમકી આપી ટ્રેસપાસ કરવાના ગુનામાં ધરપકડ કરી હતી.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

આમ આદમી પાર્ટી તરફથી વિધાનસભા ચૂંટણી લડયા હતા

આરોપી મનહર પરમાર ગઈ ટર્મમાં ભરૂચમાંથી આમ આદમી પાર્ટી તરફથી વિધાનસભા ચૂંટણી લડયા હતા.ભરૂચ જીલ્લા એસ.પી. ડો. લીનાબેન પાટીલ તેમજ તેમની ટીમ અને અધિકારોએ વ્યાજખોરી સામે સખત કાર્યવાહી શરૂ કરી છે. આરોપી મનહર પરમારની ધરપકડ થતાં તેઓએ ભરૂચ જીલ્લા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી. જેમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ તરીકે પી.બી. પંડયા હાજર થઈ સરકાર અસરકાર રજુઆત કરી દલીલો કરતાં આરોપીની જામીન અરજી ભરૂચના પ્રિન્સીપલ એન્ડ સેશન્સ જડજ હમર્મદ સાહેબે નામંજૂર કરી દીધેલી હતી. કેસમાં આરોપી મનહર પરમારનો દીકરો આ ગુનમાં આરોપી છે જે ફરા૨ છે અને તેની સામેની એફઆઈઆર રદ કરવા માટે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે.

Published On - 7:18 am, Wed, 15 February 23

Next Article