જાણો શા માટે ભરુચવાસીઓએ નર્મદા નદીને પાછા ફરવા માટે પ્રાર્થના કરી?

લોકમાતા નર્મદા ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે. આજે નર્મદાની જન્મ જયંતીની ભરૂચવાસીઓએ નર્મદાની ગેરહાજરીમાં ઉજવણી કરી હતી. નર્મદા નદી અહીં લુપ્ત થતા લોકમાતાને પરત ફરવા શ્રદ્ધાળુઓએ આજીજી કરી હતી. પુણ્ય સલિલા નર્મદા નદીને માતાનો દરજ્જો આપી મહા મહિનાની સપ્તમીએ નર્મદાની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. આ જે પણ વર્ષોથી ચાલતી પરંપરાને અનુસરવામાં આવી હતી […]

જાણો શા માટે ભરુચવાસીઓએ નર્મદા નદીને પાછા ફરવા માટે પ્રાર્થના કરી?
| Edited By: | Updated on: Feb 12, 2019 | 11:31 AM

લોકમાતા નર્મદા ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે. આજે નર્મદાની જન્મ જયંતીની ભરૂચવાસીઓએ નર્મદાની ગેરહાજરીમાં ઉજવણી કરી હતી. નર્મદા નદી અહીં લુપ્ત થતા લોકમાતાને પરત ફરવા શ્રદ્ધાળુઓએ આજીજી કરી હતી.

પુણ્ય સલિલા નર્મદા નદીને માતાનો દરજ્જો આપી મહા મહિનાની સપ્તમીએ નર્મદાની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. આ જે પણ વર્ષોથી ચાલતી પરંપરાને અનુસરવામાં આવી હતી પરંતુ પ્રતિવર્ષ શ્રદ્ધાળુઓના ચહેરા ઉપર નજરે પડતો ઉત્સાહ અને ઉમંગ આજે ફિક્કો નજરે પડતો હતો કારણકે વેપાર,રોજગાર અને સારા સારા સ્વાસ્થ્ય સાથે સમૃદ્ધિ અર્પનાર રેવાજીની ઉજવણીમાં ગેરહાજરી હતી.

માં નર્મદાની કૃપાદ્રષ્ટિનો આભાર માનવા  નૌકાવિહાર અને નર્મદામાતાને ચૂંદડી ઓઢાડવા જેવા કાર્યક્રમ નદીમાં પાણીજ ન હોવાથી રદ કરવાની ફરજ પડી હતી. ભરૂચ સ્થિત નર્મદા માતાના મંદિરોમાં જોકે માતાજીની મૂર્તિના પૂજનથી નર્મદા પૂજનનો સંતોષ માનવામાં આવ્યો હતો.

TV9 Gujarati

નર્મદા મંદિરના મહંત ગિરીશ શુક્લે જણાવ્યું હતું કે અનાદિકાળથી નર્મદાએ તેના બાળકો એવા ભરૂચવાસીઓની ચિંતા કરી છે પરંતુ નર્મદાના લુપ્ત થવાથી વ્યાપાર રોજગાર અને અહીંના પૌરાણિક ઘાટનું મહત્વ ઘટ્યું છે.

ગાયત્રી વિદ્યાપીઠના સંત અલખગીરીજીનું કહેવું છે કે સરકારે ૧૦૦૦ ક્યુસેક પાણી છોડવાની વાત કરી પણ ૫૦૦૦ ક્યુસેક પાણી ન છોડાય ત્યાં સુધી નર્મદા જીવંત થાય તેમ નથી બીજીતરફ પાણી વગર બે દાયકાની પરંપરા તૂટી છે અને નૌકાવિહાર સહિતની માં નર્મદાની પૂજા અર્ચનાની વિધિ પડતી મુકવી પડી છે.

શ્રદ્ધાળુ બિપિન ગાંધીએ નર્મદા જયંતિએ માતાના દર્શન કાર્ય બાદ વાતચીતમાં જણાવ્યું કે આજે તેમને માતા પાસેસુખ સમૃદ્ધિ નહિ પણ પરંતુ ફરવાનું વચન માંગ્યું છે.નર્મદા વિના નર્મદા જયંતીની ઉજવણી ભરૂચવાસીઓએ નિરાશ મને પણ કરી છે. લોકોમાતાને પરત લાવવાની આ શ્રદ્ધાળુઓની પ્રાર્થના કેટલી સફળ થાય છે અને તંત્ર પાણી છોડવા તૈયાર થાય છે કે નહિ તે જોવું રહ્યું!

[yop_poll id=1354]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:27 am, Tue, 12 February 19