Banaskantha : દાંતીવાડા ડેમમાં વિદેશી પક્ષીઓનો શિકાર કરતી ટોળકી સક્રિય, શિકારનો Video viral

|

Jan 09, 2023 | 11:18 AM

બનાસકાંઠાના (Banaskantha) દાંતીવાડા ડેમમાં યાયાવર પક્ષીઓનો મોટાપાયે શિકાર થઈ રહ્યો છે. ડેમમાં વિદેશી પક્ષીઓનો શિકાર કરતી એક ખાસ ટોળકી સક્રિય બની છે. શિયાળામાં દાંતીવાડા ડેમના કાંઠા વિસ્તારના છીછરા પાણીમાં રાજહંસ સહિતના વિદેશી પક્ષી મોટાપાયે મહેમાન બન્યા છે.

Banaskantha : દાંતીવાડા ડેમમાં વિદેશી પક્ષીઓનો શિકાર કરતી ટોળકી સક્રિય, શિકારનો Video viral
બનાસકાંઠામાં વિદેશી પક્ષીઓનો શિકાર

Follow us on

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં દર વર્ષે શિયાળામાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવતા હોય છે. જેના કારણે દર વર્ષે અહીં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળતો હોય છે. જો કે બીજી તરફ બનાસકાંઠામાં વિદેશી મહેમાન બનેલા આ પક્ષીઓનો શિકાર થતુ હોવાનું સામે આવ્યુ છે. શિકાર કરતી એક ટોળકી અહીં સક્રિય થઇ હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે વિદેશી પક્ષીના શિકારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેના પગલે જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાજહંસ અને હાડ પક્ષીનો શિકાર વધુ થાય છે

બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં યાયાવર પક્ષીઓનો મોટાપાયે શિકાર થઈ રહ્યો છે. ડેમમાં વિદેશી પક્ષીઓનો શિકાર કરતી એક ખાસ ટોળકી સક્રિય બની છે. શિયાળામાં દાંતીવાડા ડેમના કાંઠા વિસ્તારના છીછરા પાણીમાં રાજહંસ સહિતના વિદેશી પક્ષી મોટાપાયે મહેમાન બન્યા છે. આ વિદેશી પક્ષીઓને નિહાળવા દૂર-દૂરથી લોકો મોટી સંખ્યામાં પહોંચે છે. તો બીજી તરફ સુંદર પક્ષીઓના શિકાર અને તેના વેચાણની પ્રવૃત્તિ પણ વધી રહી છે. જેમાં ખાસ કરીને રાજહંસ અને હાડ પક્ષીનો શિકાર થતો હોવાનું સામે આવી રહ્યુ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શિકારી ટોળકી અંગે ડેમના સત્તાવાળા અજાણ

એક વાયરલ થયેલા વીડિયોમાં ડેમમાં હોડી ચલાવતો એક શખ્સ પોતે જ પક્ષીઓના શિકાર કરતો હોવાનું જણાવે છે. શિકારી રોજ ત્રણથી ચાર વિદેશી પક્ષી અને રાજહંસને નિશાન બનાવે છે અને તેનું તાજુ માંસ ડેમમાં ફરવા આવતા લોકોને વહેંચે છે. દાંતીવાડા ડેમમાં ધમધમતી શિકારની પ્રવૃત્તિ અંગે વન વિભાગના કર્મચારીઓ અજાણ છે. વન વિભાગના કર્મચારીઓએ શિકાર અંગે કડક તપાસ કરીને દોષિતોને સજા આપવી જોઈએ. વિદેશી પક્ષીઓના શિકારની પ્રવૃત્તિ પર તાત્કાલિક અંકુશ આવે તે જરૂરી છે.

Next Article