અંબાજી જતાં પહેલાં જાણો આ વાત, ગબ્બર દર્શન આજે બપોર બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

|

Apr 04, 2022 | 7:06 AM

ગરમીના ઉકળાટમાં મધમાખી યાત્રિકોને હેરાન ન કરે તે માટે ઉડાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. અખંડ જ્યોતના દર્શન ગબ્બર તળેટીમાં પ્રવેશ દ્વાર ખાતે રાખવામાં આવશે. આ પ્રતિબંધ હાલ 4 એપ્રિલ 2022 માટે જ છે.

અંબાજી જતાં પહેલાં જાણો આ વાત,  ગબ્બર દર્શન આજે બપોર બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે
Gabbar Darshan in Ambaji will be closed for visitors tomorrow afternoon

Follow us on

અંબાજી (Ambaji) માં ગબ્બર દર્શન આજે બપોર બાદ દર્શનાર્થી (Visitors) ઓ માટે બંધ રહેશે, ગબ્બરગઢ ઉપર મધપૂડા ઉડાડવાની કામગીરીને લઈને બપોરે 3 વાગ્યા બાદ ગબ્બર ટોચ ઉપર યાત્રિકોની અવરજવર પર પ્રતિબંધ (Prohibition) લગાવાયો છે. ગરમીના ઉકળાટમાં મધમાખી યાત્રિકોને હેરાન ન કરે તે માટે ઉડાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. અખંડ જ્યોતના દર્શન ગબ્બર તળેટીમાં પ્રવેશ દ્વાર ખાતે રાખવામાં આવશે. આ પ્રતિબંધ હાલ 4 એપ્રિલ 2022 માટે જ છે.

ઉલ્લેખનીય છે કે ચૈત્રી નવરાત્રીન કારણે મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિર અને ગબ્બર પરની જ્યોતના દર્શન કરવા આવતા હોય છે. બીજી બાજુ અત્યારે ભારે ગરમી પડી રહી છે ત્યારે મધમાખી કરડવાની શક્યતા વધી જાય છે. ગબ્બરમાં ઘણી જગ્યાએ મધપુડા અવેલા છે. જો ગબ્બર પર કોઈને મધમાખી કરડે તો તેમને તાત્કાલિક સારવાર આપવી મુશ્કેલ હોવાથી આ મધપુડા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

નવરાત્રીના 9 દિવસનું મહત્વ

નવરાત્રીનો તહેવાર દેવી દુર્ગાની પૂજા અને શક્તિની ઉપાસનાનો તહેવાર છે. જેમાં સમગ્ર 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વખતે ચૈત્ર નવરાત્રી 2 એપ્રિલથી શરૂ થશે અને 11 એપ્રિલ સુધી ચાલશે. આ વખતે ચૈત્ર નવરાત્રી 9 દિવસની રહેશે. શાસ્ત્રોમાં 9 દિવસની નવરાત્રિ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જ્યારે 8 દિવસની નવરાત્રિ શુભ માનવામાં આવતી નથી. 10 દિવસની નવરાત્રી ખૂબ જ ખાસ હોય છે.નવરાત્રીનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે જ્યારે તારીખ સામાન્ય હોય છે.આ વર્ષે ચૈત્રી નવરાત્રી 9 દિવસ સુધી ચાલશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચોઃ સતત 13મી વખત પેટ્રોલના ભાવમાં વધારો કરાયો, પેટ્રોલ 103.49 અને ડીઝલ 97.78 રૂપિયા પ્રતિ લિટર

આ પણ વાંચોઃ  Rajkot : ઉપલેટામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રજતતુલા સંપન્ન, રજતતુલામાં મળેલા 1.15 કરોડ રૂપિયા જળસંગ્રહના કાર્યોમાં વપરાશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 7:05 am, Mon, 4 April 22

Next Article