અરવલ્લી(Aravalli) જિલ્લાના મેઘરજ માં જુના બજારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ વાયરલ થવા મામલે જુથ અથડામણ(Group Clash) થઈ હતી. તેમજ જૂથ અથડામણમાં સોડાની કાચની બોટલો અને પથ્થરમારો કરાયો હતો. જો કે આ ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી સહિત પોલીસના ઉચ્ય અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ સ્થિતિ પર પોલીસે કાબુ મેળવ્યો હતો. જો કે આ અથડામણમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Published On - 10:34 pm, Sun, 18 July 21