Aravalli : અરવલ્લીના ધનસુરામાં નાની બોરવાઈ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં લોકોએ બંધ કરવામાં આવેલા શાળામાં ધોરણ 6 અને 7ના વર્ગો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. જો કે આ શાળામાં ઓછી સંખ્યા હોવાને શાળાઓના વર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. જેને ફરી ચાલુ કરવા માટે ગ્રામજનોએ શાળાની તાળાબંધી કરી છે. તેમજ જો શાળાના વર્ગોને ફરી ચાલુ કરવામાં નહી આવે તો ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે.