Anand : ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. જેને લઈને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘ મહેર વરસી રહી છે. વરસતા વરસાદ વચ્ચે ક્યાંકને ક્યાંક દુર્ઘટનાના અહેવાલો પણ સામે આવતા હોય છે. એવા જ કઈક સમાચાર આણંદના ગામડીથી આવી રહ્યા છે.
આણંદ નજીક આવેલા ગામડીમાં 3 વિજ પોલ ધરાશાયી થયાના અહેવાલ સામે આવ્યા છે. વરસાદના પગલે ગામડીમાં અંધકાર છવાયો છે. ત્રણ વિજ પોલ ધરાશાયી થયા વીજ પુરવઠો ખોરવાયો છે. જેને લઈને MGVCLની ટીમ દ્વારા વિજ પોલ ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ભારે વરસાદને કારણે 100 વર્ષથી પણ જૂનું એક વૃક્ષ વડ પણ ધરાશાયી થયું હતું. જેમાં સદનસીબે દુકાન અને દુકાનદારનો બચાવ થયો હતો.
આ પણ વાંચો : તેલંગાણામાંથી કોરોના લોકડાઉન સંપૂર્ણ દૂર કરાશે, રાજ્ય કેબિનેટે લીધો નિર્ણય