તેલંગાણામાંથી કોરોના લોકડાઉન સંપૂર્ણ દૂર કરાશે, રાજ્ય કેબિનેટે લીધો નિર્ણય
તેલંગાણા(Telangana)સરકારે શનિવારે Corona વાયરસની બીજી લહેરમાં કેસની ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખીને લોકડાઉનને સંપૂર્ણ રીતે ઉપાડી લેવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં તેનો નિર્ણય લીધો હતો.
તેલંગાણા(Telangana)સરકારે શનિવારે Corona વાયરસની બીજી લહેરમાં કેસની ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખીને લોકડાઉનને સંપૂર્ણ રીતે ઉપાડી લેવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં તેનો નિર્ણય લીધો હતો. Corona ચેપના ત્રીજી લહેરની દહેશત વચ્ચે રાજ્યને સંપૂર્ણ રીતે ખોલનાર તેલંગાણા દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
તેના આદેશમાં સરકારે કહ્યું હતું કે લોકડાઉન દરમિયાન લાદવામાં આવેલા તમામ નિયમોને સંપૂર્ણપણે દૂર કરવા જોઈએ. રાજ્ય મંત્રીમંડળે લોકડાઉનને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લીધો છે. લોકડાઉન ઉપાડવાનો નિર્ણય તબીબી અધિકારીઓએ આપેલા અહેવાલોની તપાસ કર્યા બાદ લેવામાં આવ્યો છે.
મુખ્ય પ્રધાન કચેરીએ શનિવારે ફેસબુક પરની એક પોસ્ટમાં લખ્યું છે કે, “તબીબી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા અહેવાલોની તપાસ કર્યા બાદ લોકડાઉન ઉપાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કે Corona કેસોની સંખ્યા, રિકવરી રેટની નોંધપાત્ર ટકાવારી પરથી લાગે છે કે કોરોના સંપૂર્ણ નિયંત્રણમાં છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અગાઉ 9 જૂને 10 દિવસ લોકડાઉન વધાર્યું હતું. પરંતુ હવે કેસ ઓછા થયા બાદ રાહત આપવામાં આવી છે.
તેલંગાણા(Telangana)માં કોરોનાના 1,417 નવા કેસો, 12 દર્દીઓનાં મોત
શુક્રવારે (18 જૂન) તેલંગાણા(Telangana)માં કોરોનાના 1,417 નવા કેસ સાથે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 6,10,834 પર પહોંચી ગઈ છે, જ્યારે વધુ 12 દર્દીઓનાં મોતને કારણે મૃત્યુઆંક 3,546 પર પહોંચી ગયો છે. રાજ્યના આરોગ્ય વિભાગે બુલેટિન જારી કરીને આ માહિતી આપી હતી.
છેલ્લા 24 કલાકમાં 1,897 દર્દીઓ ચેપ મુક્ત
બુલેટિન મુજબ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (જીએચએમસી) માં સૌથી વધુ 149 કેસ નોંધાયા છે. આ પછી રંગારેડ્ડી જિલ્લામાં 104 અને ખમ્મમાં 93 નવા કેસ નોંધાયા છે. બુલેટિન અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,897 દર્દીઓ ચેપ મુક્ત બન્યા હતા, જેની સાથે જ કોરોનાથી અત્યાર સુધી સાજા થનારા લોકોની સંખ્યા 5,88,259 પર પહોંચી ગઈ હતી.
તેલંગાણામાં કોરોનાની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 19,029 થઈ ગઈ છે. તેલંગાણામાં કોવિડ -19 ને કારણે મૃત્યુ દર 0.58 ટકા છે જ્યારે રિકવરી દર 96.30 ટકા છે.