આણંદમાં રહેતા કુલદીપસિંહ જાડેજા છેલ્લા ઘણા વર્ષોથી જુદા જુદા વિષયો પર કવિતા લખે છે. વર્ષ 2014માં કુલદીપસિંહ જાડેજા દ્વારા નરેન્દ્ર મોદીની કામગીરીથી પ્રેરાઈને “સોગંધ મુજે ઇસ મીટ્ટી કી “નામનું ગીત લખવામાં આવ્યું હતું અને આ ગીત નરેન્દ્ર મોદીને અર્પણ કરવામાં આવ્યુ હતું.
નરેન્દ્ર મોદી દ્વારા ગીતના વખાણ કરવામાં આવ્યા હતા અને આટલી સુંદર કાવ્ય રચના બદલ કુલદીપસિંહને એક પત્ર પણ નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવ્યો હતો. ગઈકાલે કુલદીપસિંહ જાડેજા દ્વારા લખવામાં આવેલા ગીતનો ઉપયોગ નરેન્દ્ર મોદી પર બની રહેલી બાયોપિકમાં કરવામાં આવ્યો છે અને એક ગીત પણ ગઈકાલે યુ ટ્યુબ પર લોન્ચ કરવામાં આવ્યું છે.
જો કે ‘સોગંધ મુજે ઇસ મીટ્ટી કી’ના મૂળ રચાયિતા કુલદીપસિંહને બદલે પ્રસુન જોષીનું નામ લખવામાં આવતા મૂળ રચયિતા કુલદીપસિંહ નારાજ થઇ ગયા છે અને આગામી દિવસોમાં તેમના દ્રારા કોઈ જ કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે નહી પણ સમગ્ર મામલાની જાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરવામાં આવશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]