Breaking News: V.V. Vaghasiya Death: રાજ્યકક્ષાના પૂર્વ કૃષિમંત્રી અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય વી.વી. વઘાસિયાનું માર્ગ અકસ્માતમાં અવસાન

|

May 20, 2023 | 5:16 PM

Amreli: રાજ્યકક્ષાના પૂર્વ કૃષિમંત્રી અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય વી. વી. વઘાસિયાનું માર્ગ અકસ્માતમાં અવસાન થયુ છે. અમરેલીના શેલણા- વંડા વચ્ચે કાર અને JCB વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા પૂર્વ ધારાસભ્ય વઘાસિયાનું અવસાન થયુ છે.

રાજ્યકક્ષાના પૂર્વ કૃષિમંત્રી અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય વી.વી.વઘાસીયા (V.V. Vaghasia) નું માર્ગ અકસ્માતમાં અવસાન થયુ છે. અમરેલીના શેલણા-વંડા વચ્ચે કાર અને JCB વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં વઘાસીયાનું અવસાન થયુ છે. અકસ્માતની જાણ થતા રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. પૂર્વ રાજ્યકક્ષાના મંત્રીના અવસાનના સમાચાર મળતા રાજકીય જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. વી.વી.વઘાસીયાના અકસ્માતના સમાચાર સાંભળતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફેલાયુ છે.

તેમના સમર્થકો પણ ઘેરા આઘાતમાં સરી પડ્યા છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. વી.વી. વઘાસિયાના મૃતદેહને પીએમ અર્થે સાવરકુંડલા સરકારી હોસ્પિટલે ખસેડાયો છે. તેમના મૃત્યુના સમાચાર મળતા જ તમામ રાજકીય અને સામાજિક આગેવાનો સાવરકુંડલા પહોંચી રહ્યા છે.

Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ

 

Published On - 10:07 pm, Thu, 18 May 23

Next Article